નવી દિલ્હી: સામાન્ય બજેટ પહેલાં જીએસટી (જીએસટી) પરિષદની બેઠક 20 જૂને બેઠક યોજાવવાની છે, જેમાં બિઝનેસ-ટૂ-બિઝનેસ (બી2બી) વેચાણ માટે 50 કરોડ અથવા વધુના બિઝનેસવાળી કંપની માટે કેંદ્વીકૃત પોર્ટલ પર ઇ-ઇનવોઇસ બનાવવાની જરૂરી કરવા મુદ્દે ચર્ચા થશે. જીએસટીના બિનલાભકારી સંસ્થાની ઓફિસને આગળ વધારવાનો એજન્ડા પણ સામેલ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાર્ષિક 10 લાખ રૂપિયા કેશ કાઢવા પર લાગશે ટેક્સ, બજેટમાં લેવામાં આવી શકે છે નિર્ણય


એજન્ડાને અંતિમરૂપ આપવા માટે કામ ચાલી રહ્યું છે
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 'જીએસટી પરિષદના એજન્ડાને અંતિમ રૂપ આપવા પર કામ ચાલી રહ્યું છે. બિઝનેસ થ્રેસહોલ્ડ વધારવા અને બિનલાભકારી સંસ્થાની ઓફિસને વધારવા પર નિશ્વિતરૂપથી ચર્ચા થશે.' જીએસટી પરિષદની આગામી બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મોદી સરકાર ગત મહિને સત્તામાં પરત ફર્યા બાદ પરિષદની પ્રથમ બેઠક હશે. મોદી સરકાર બીજીવાર ભારે બહુમત સાથે સત્તામાં પરત ફરી છે. પરિષદની બેઠકમાં સુસ્ત પડેલી અર્થવ્યવસ્થા અમે મે મહિનામાં આશા કરતાં ઓછા જીએસટી સંગ્રહ પર પણ ચર્ચા થશે. 

GST કાઉન્સિલની મિટીંગ 20 જૂને, 28 % સ્લેબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ


પહેલીવાર બેઠકની અધ્યક્ષતા કરશે નિર્મલા સીતારમણ
કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલીવાર આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં બધા રાજ્યોના નાણામંત્રી ભાગ લેશે. બી 2 બી વેચાણ માટે ઇ-ચલણ જનરેટ કરવા માટે કારોબાર સીમાને નક્કી કરવાનો પ્રસ્તાવ કર ચોરી પર અંકુશ લાદવા માટે છે. સત્તાવાર વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જીએસટી ચૂકવણી કરનાર 50 કરોડ રૂપિયા અથવા વધુના વાર્ષિક કારોબાર લગભગ 30 ટકા બી2બી ચલણ બને છે, જ્યારે ટેક્સપેયરમાં તેમની સંખ્યા 1.02 ટકા છે. 

બજેટમાં આમ આદમીને મળવી જોઇએ ટેક્સમાં છૂટ: વિશેષજ્ઞ


પ્રસ્તાવિત પગલાંથી બી2બી વેચાણ માટે ઇ-ચલણ બનાવવા માટે બધા મોટા વ્યવસાયોને પ્રભાવી ઢંગથી જરૂરિયાત હશે. ચલણ અપલોડ કરવા માટે કેંદ્વીકૃત સિસ્ટમ સુધી લાગૂ થવાની આશા છે. ચલણ અપલોડ કરવા માટે કેંદ્વીકૃત સિસ્ટમ સપ્ટેમ્બર સુધી લાગૂ કરવાની આશા છે. પરિણામે આ ફર્મોને રિટર્ન દાખલ કરવા અને ચલણ અપલોડ કરવા બેવડા પ્રક્રિયાત્મક કામમાંથી છૂટ આપવામાં આવશે. સરકારના દ્વષ્ટિકોણથી, તેનાથી ચલણના દુરઉપયોગ અને ટેક્સ ચોરીને રોકવામાં મદદ મળશે. તો બીજી તરફ વિભિન્ન ઉદ્યોગોને જીએસટીના ઉચ્ચતમ ટેક્સ બ્રેકેટમાં દરમાં ઘટાડાની આશા છે, ખાસકરીને વાહનક્ષેત્રે જેને આશા છે કે તેનાથી વેચાણમાં તેજી આવશે.