કોલકાતા : સરકાર જીએસટી સ્લેબમાં ઘટાડો કરી શકે છે. તેનો સંકેત નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે આપ્યો છે. તેમણે કહ્યુ કે, વસ્તુ અને સેવા કરત (GST) સ્લેબને મળતી રાહતની શ્રેણી સાથે ઘટાડીને 3 ટકા સુધી કરવામાં આવી શકે છે, જેથી દેશનું કર શાસન સરળ હોય. તેમણે કહ્યું કે, લઘુત્તમ દર 5 ટકા થશે. મધ્યમ દરમાં 12 ટકા અને 18 ટકાને મેળવીને 15 ટકાનો સ્લેબ નિર્ધારિત કરવામાં આવી શકે છે. જ્યારે ટોપનો દર 28 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવી શકે છે. હાલમાં જીએસટી સ્લેબ 5,12,18 અને 28 ટકા છે. સાથે જ છુટ મળનારી શ્રેણી છે જેના પર શૂન્ય ટકા જીએસટી લગાવવામાં આવી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર પ્રણાલીને હવે વધારે સરળ કરવામાં આવશે.
સાન્યાલે કહ્યું કે, કેન્દ્ર પ્રત્યક્ષ કર સંગ્રહને વધારે સરળ બનાવવા અંગે વિચાર કરશે અને કરની આવકમાં સારો વધારો હોય છે તો દરમાં ઘટાડો કરશે. તેમણે કહ્યું કે, કર પ્રણાલીના સરળ થવા અંગે મહત્તમમાં મહત્તમ લોકો કરી ચુકવે છે. જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ કર સંગ્રહણ વધાર્યું છે. જો આ એવી જ રીતે વધતું રહેશે તો કેન્દ્ર સરકાર કરનાં દરોમાં વધારે ઘટાડો કરશે અને કોર્પોરેટ કરનો દર 25 ટકા કરી દેશે. 

આ અગાઉ જીએસટી પરિષદની 29મી બેઠકમાં બિહાર સહિત ડોઢ ડઝન રાજ્યોએ ડિજિટલ પ્રોત્સાહન પાયલોટ યોજનામાં સમાવેશ કરવા અંગે સંમતી વ્યક્ત કરી. સુશીલ મોદીની આગેવાનીવાળા મંત્રી સ્તરીય સમુહોએ કેશ બેકના માધ્યમથી ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. જેના હેઠળ રૂપે કાર્ડ અને ભીમ એપ દ્વારા ડિજિટલ ચુકવણી કરવામાં આવે તો કેશબેકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.