નવી દિલ્હીઃ જો તમે નોકરી કરો છો તો ભવિષ્યની ચિંતા જરૂર હશે. હંમેશા મનમાં તે વિચાર આવે છે કે નિવૃત્ત થયા બાદ એટલે કે 60 વર્ષની ઉંમર બાદ નોકરી નહીં રહે, પછી દરરોજનો ખર્ચ કેવી રીતે કાઢવો? આ કારણ છે કે લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement Planning) કરે છે, પરંતુ તે માટે પણ તમારે વિચારવુ પડશે કે કેટલા રૂપિયા જોઈએ અને ક્યા રોકાણ કરવું. નિવૃત્તિ પ્લાનિંગ માટે સારો વિકલ્પ છે એનપીએસ  (National Pension System),જેમાં થોડું-થોડું રોકાણ કરવાથી તમને નિવૃત્તિ સમયે મોટી રકમ મળશે. આવો જાણીએ જો તમારે નિવૃત્તિ પર 5 કરોડ રૂપિયા (how to get rs. 5 crore on retirement)જોઈએ તો કેટલું રોકાણ કરશો અને કઈ રીતે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 કરોડ રૂપિયા મેળવવા માટે શું છે 442 રૂપિયાવાળી ફોર્મ્યુલા
સૌ પ્રથમ, એ સમજવું જરૂરી છે કે આ ફોર્મ્યુલા તે યુવાનોને લાગુ પડે છે જેમણે હમણાં જ તેમની નોકરી શરૂ કરી છે. ધારો કે તમે નિવૃત્તિ પર એટલે કે 60 વર્ષની ઉંમરે 5 કરોડ રૂપિયા એકઠા કરવા માંગો છો અને તમને 25 વર્ષની ઉંમર પહેલા જ નોકરી મળી ગઈ છે. 25 વર્ષની ઉંમરથી, જો તમે તમારા પગારમાંથી દરરોજ 442 રૂપિયાની બચત કરવાનું શરૂ કરો છો અને તેને NPSમાં મૂકવાનું શરૂ કરો છો, તો તમારી પાસે નિવૃત્તિ પર 5 કરોડ રૂપિયા હશે.


આ પણ વાંચોઃ Best Jobs: આ છે આગામી પાંચ વર્ષમાં સૌથી ઝડપી પગાર વધારનારી નોકરી


442 રૂપિયા 5 કરોડ કેવી રીતે બનશે?
જો તમે દરરોજ 442 રૂપિયા બચાવો છો, તો તેનો અર્થ એ છે કે તમારે દર મહિને લગભગ 13,260 રૂપિયા જમા કરાવવા પડશે. જો તમે 25 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 60 વર્ષની ઉંમર સુધી તમે 35 વર્ષ સુધી રોકાણ કરશો. જો તમે આ પૈસા NPSમાં રોક્યા છે, તો ત્યાં તમને સરેરાશ 10% વ્યાજ મળશે. આ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવીને તમારા પૈસા 60 વર્ષની ઉંમરે 5.12 કરોડ રૂપિયા થઈ જશે.


પાવર ઓફ કમ્પાઉન્ડિંગથી થશે આ
જો તમે NPSમાં દર મહિને 13,260 રૂપિયાનું રોકાણ કરો છો, તો 35 વર્ષમાં તમે કુલ 56,70,200 રૂપિયાનું રોકાણ કરશો. હવે સવાલ એ થાય છે કે જો 56.70 લાખ રૂપિયાનું રોકાણ છે તો 5 કરોડ રૂપિયા ક્યાંથી આવશે. વાસ્તવમાં આ કમ્પાઉન્ડિંગની શક્તિથી શક્ય બનશે. આ હેઠળ, તમને દર વર્ષે ફક્ત તમારા મુદ્દલ પર વ્યાજ જ નહીં, પરંતુ તે મુદ્દલ પર મળતા વ્યાજ પર પણ વ્યાજ મળશે. આવી સ્થિતિમાં, તમે 35 વર્ષ માટે 56.70 લાખ રૂપિયા જમા કરાવો છો, ત્યાં સુધી તમને કુલ 4.55 કરોડ રૂપિયાનું વ્યાજ મળી ચૂક્યું હશે. આ રીતે તમારું કુલ રોકાણ 5.12 કરોડ રૂપિયા થશે.


આ પણ વાંચોઃ Post Office ની શાનદાર સ્કીમ પર હવે મળશે વધુ વ્યાજ, 10K જમા કરવા પર મળશે 7 લાખ રૂપિયા


નિવૃત્તિ પર 5.12 કરોડ રૂપિયા હાથમાં હશે?
નિવૃત્તિ પર તમારી પાસે 5.12 કરોડ રૂપિયા હશે તે કહેવું ખોટું હશે. આ કારણ છે કે 60 વર્ષ પછી જ્યારે NPS પરિપક્વ થાય છે, ત્યારે તમે માત્ર 60% રકમ ઉપાડી શકો છો. એટલે કે, તમે લગભગ રૂ. 3 કરોડ ઉપાડી શકશો, જ્યારે તમારે બાકીના રૂ. 2 કરોડનું વાર્ષિક પ્લાનમાં રોકાણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે આ એન્યુઈટી પ્લાનના કારણે તમને જીવનભર પૈસા મળતા રહેશે.


શું નિવૃત્તિ પહેલા પૈસા ઉપાડી શકો?
NPS ની પરિપક્વતા તમારી ઉંમર 60 વર્ષ પછી જ છે. આવી સ્થિતિમાં તમે 60 વર્ષ પહેલા NPSમાંથી પૈસા ઉપાડી શકતા નથી. જો કે, જો તમને કોઈ ઈમરજન્સી કે કોઈ બીમારી હોય તો ઘર બનાવવા, બાળકોના ભણતર માટે અમુક રકમ ઉપાડી શકાય છે. ધ્યાનમાં રાખો કે પૈસા ઉપાડવાના નિયમો ગમે ત્યારે બદલી શકે છે, તેથી તમારે પૈસા ઉપાડતા પહેલા, NPS ના નિયમો વાંચો. નિવૃત્તિ પછી જ NPS ના પૈસા ઉપાડવા માટે હંમેશા પ્રયત્નો કરવા જોઈએ, જેથી તમારી વૃદ્ધાવસ્થા શાંતિથી પસાર થઈ શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube