નવી દિલ્હી : જો તમે એટીએમ કાર્ડથી પૈસા ઉપાડતા હો કે પછી ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરતા હો તો બેંકિંગનો એક મહત્વનો નિયમ જાણવો જરૂરી છે. જો આ નિયમ તમને જાણ હશે તો લાખો રૂ.ની ગરબડ અટકાવીને ફાયદો થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે પોતાના ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે 6 જુલાઈ, 2017ના દિવસે સરક્યુલર જાહેર કર્યો હતો. આ સરક્યુલરમાં કહેવામાં આ્વ્યું હતું કે એકાઉન્ટમાં થયેલા અનધિકૃત ટ્રાન્ઝેક્શન કે પછી ફ્રોડ થાય તો ગ્રાહકે શું કરવું જોઈએ જેથી તેમને નુકસાન ન થાય અને બેંક આ પૈસાની ભરપાઈ કરી દે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેંકના સરક્યુલર પ્રમાણે જો તમારા બેંક એકાઉન્ટથી અનધિકૃત ટ્રાન્ઝેક્શન કે ફ્રોડ થયું હોય અને તમે જો ત્રણ દિવસની અંદર આ વાતની જાણકારી બેંકને આપી દો તો તમારી લાયબિલિટી ઝીરો થઈ જશે. જો આ ટ્રાન્ઝેક્શન તમારી ભુલ કે બેદરકારીથી નથી થયું તો બેંક તમારા નુકસાનની ભરપાઈ કરશે. 


જો તમે બેંક એકાઉન્ટથી થયેલા અનધિકૃત ટ્રાન્ઝેક્શન કે ફ્રોડની માહિતી 4થી 7 દિવસ વચ્ચે જાણકારી આપશો તો તમારી લિમિટેડ જવાબદારી ગણાશે અને તમારે થોડા હિસ્સાની જવાબદારી વહન કરવી પડશે. 


બિઝનેસના લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...