Income Tax Return: RTI ફાઈલ કરનારોને આવકવેરા વિભાગ કરાવશે મોટો ફાયદો. જો તમે પણ તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન નિયમિતપણે ભરો છો. અને કોઈ કારણોસર તમારું ફાઈલિંગ પૂર્ણ કરી શક્યા નથી. તો હવે આવક વેરા વિભાગ આવા લોકોને માહિતી મોકલી રહ્યું છે કે તેમનું ફાઇલિંગ ક્યાં અટવાયું છે અને કેટલું ભરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવક વેરા વિભાગ આપશે આ મોટી સુવિધા-
જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાને કારણે અથવા તો દસ્તાવેજો અપડેટ ન થવાના કારણે લોકોના આવકરવેરા  રિટર્ન અડધા ભાગમાં અટવાઈ જાય છે અને લોકો તેમનું રિટર્ન ભરવાનું ભૂલી જાય છે. ઘણી વખત એવા કિસ્તાઓ પણ સામે આવે છે કે નિયત તારીખ પૂરી થયા પછી લોકો આળસથી ITR રિટર્ન ફાઇલ કરતા નથી. આવી સ્થિતિમાં હવે આવકવેરા વિભાગ આ લોકોને મેસેજ મોકલીને એલર્ટ કરી રહ્યું છે.


ITR ભરવું જરૂરી છે-
આવકવેરાના દાયરામાં આવતા લોકો માટે  ભરવું ફરજિયાત છે. આ અંતર્ગત જેમની વાર્ષિક આવક રૂ. 2.5 લાખથી વધુ છે તેમણે આવકવેરા રિટર્ન ભરવાનું રહેશે. ITR ફાઈલ કરવું જરૂરી છે. આવકવેરા કાયદા હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયા અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકો માટે 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, એટલે કે, જો તમારી આવક આનાથી વધુ હોય તો તમારા માટે ટેક્સ ચૂકવવો ફરજિયાત બની જાય છે. જો તમારો TDS ક્યાંક કપાઈ રહ્યો હોય તો પણ તમારે આવકવેરો ચૂકવવો પડશે. ITR ફાઇલ કર્યા પછી ITR ની ચકાસણી કરવી પણ જરૂરી છે.


 



ઓનલાઈન વેરિફિકેશન-
જો તમે ITR ચકાસ્યું નથી. તો તમારું રિટર્ન ફાઇલ કરવાનો કોઈ અર્થ નથી. તમારું રિટર્ન કેન્સલ ગણવામાં આવશે. ITR ચકાસવા માટે તમે બેંક એકાઉન્ટ, નેટ બેંકિંગ અથવા ડીમેટ એકાઉન્ટ દ્વારા જનરેટ થયેલ આધાર OTP અથવા EVC નો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે તેને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) નો ઉપયોગ કરીને પણ વેરિફિકેશન કરી શકો છો.