દીપક જીતિયા, અમદાવાદ: શું તમે તમારું ઇન્કમટેક્ષ રીટર્ન (ITR) ફાઇલ કર્યું છે? જો નહીં, તો ઉતાવળ કરો કારણ કે રીટર્ન ફાઇલ કરવા માટે ફક્ત 4 દિવસ બાકી છે. ઓક્ટોબર મહિનામાં લોકોને રાહત આપીને કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી વધારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરદાતાઓ જેમના રિટર્નમાં ઓડિટ રિપોર્ટની જરૂર નથી તેઓ 31 ડિસેમ્બર 2020 સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકે છે. કરદાતાઓ માટે જેમના રિટર્નમાં ઓડીટ રીપોર્ટની જરૂર છે તેમને IT રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2021 નક્કી કરવામાં આવી છે.


વિભાગે ‘ઇન્સ્ટન્ટ પ્રોસેસિંગ’ શરૂ કર્યું
IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવતા જ આવકવેરા વિભાગે રીટર્ન ફાઇલિંગને વધુ સરળ બનાવવા માટે ‘ઇન્સ્ટન્ટ પ્રોસેસિંગ’ શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં તમે ઇન્સ્ટન્ટ પ્રોસેસિંગનો ઉપયોગ કરીને ઝડપથી આવકવેરા રીટર્ન ફાઇલ કરી શકો છો. વિભાગની વેબસાઇટ પર તે સમજાવે છે કે તમે ITR-1 અને ITR-4 કેવી રીતે ફાઇલ કરી શકો છો.

50MP કેમેરા સાથે OPPO Reno 5 Pro+ 5G લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ


ITR-4 એ આવકવેરા ભરનારાઓ માટે છે જે ઉદ્યોગપતિ અથવા વ્યાવસાયિકો છે. આમાં તે લોકો શામેલ છે જેમણે આવકવેરા કાયદાની કલમ 44 એડી, કલમ 44 એડીએ અને 44 એઇ મુજબ સંભવિત આવક યોજનાની પસંદગી કરી છે.


4.2 કરોડ લોકો 2020-21 માટે ITR ફાઇલ કર્યું
આવકવેરા વિભાગે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2020-21 માટે 4.2 કરોડથી વધુ લોકોએ આવકવેરા રીટર્ન ભર્યા છે. વિભાગ તરફથી એક ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે 26 ડિસેમ્બર સુધીમાં 4.15 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે, જ્યારે નાણાકીય વર્ષ 2019-20 માટે 26 ઓગસ્ટ 2019 સુધીમાં 4.14 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે.

જેઠાલાલના કારણે તારક મહેતામાં થઈ હતી બબિતાની એન્ટ્રી, Interesting છે કિસ્સો


વિભાગના અન્ય એક ટ્વીટમાં જણાવ્યું છે કે 27 ડીસેમ્બરની સાંજે 6 વાગ્યા સુધી 5,64,541 ITR ફાઇલ કરવામાં આવ્યા છે. મહામારી હોવા છતાં ચાલુ વર્ષે રિટર્ન ફાઇલિંગની સંખ્યા વધુ રહી છે, કારણ કે સરકારે રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube