rules change from 1 October : આજકાલ મોટાભાગના લોકો શેરમાર્કેટમાં રોકાણ કરતા હોય છે. આઈપીઓ, મ્યુચ્યુઅલ ફંડ, શેરમાં રોકાણ કરનારો વર્ગ મોટો થઈ રહ્યો છે. ત્યારે જો તમે પણ રોકાણકાર છો, તો જાણી લો કે આજે 1 ઓક્ટોબરથી શેર માર્કેટના નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે. જેની સીધી અસર તમારા બજેટને પડશે. આજે 1 ઓક્ટોબરથી આ નવા નિયમો લાગુ પડી જશે. આ સાથે ઈન્કમ ટેક્સ, આધાર કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ અને ટેલિકોમ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરબજાર સંબંધિત નિયમોમાં ફેરફારથી રોકાણકારોની ટ્રેડિંગ વ્યૂહરચના અને નફા પર અસર પડી શકે છે. જે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે તેમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને બાયબેક સંબંધિત નિયમોનો પણ સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ વિગતે...


શેર બાયબેક સંબંધિત નિયમો (New Share Buyback Taxation)
બજેટ 2024માં, નાણામંત્રી નિર્મલા સીતારમણે શેર બાયબેકથી થતી આવક પર ડિવિડન્ડની બરાબરની ટેક્સની જાહેરાત કરી હતી, જે 1 ઓક્ટોબર, 2024થી લાગુ થશે. શેરનું બાયબેક ઑક્ટોબરથી શેરધારક સ્તરે કરને આધીન રહેશે. તેનાથી રોકાણકારો પર ટેક્સનો બોજ વધશે. વધુમાં, કોઈપણ મૂડી લાભ અથવા નુકસાનની ગણતરી કરતી વખતે આ શેરના સંપાદન ખર્ચને ધ્યાનમાં લેવામાં આવશે. અગાઉ, રોકાણકારો જો શેર બાયબેકમાં ભાગ લે તો કેપિટલ ગેઈન પર ટેક્સ ચૂકવવો પડતો ન હતો.


પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત


સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) 
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) 1 ઓક્ટોબરથી વધશે. 2024ના બજેટમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકા વધ્યો હતો. એટલે કે, હવે નવા નિયમો હેઠળ, ભાવિ ટ્રેડિંગ માટે 0.0125% થી 0.02% સુધીનો ટેક્સ લેવામાં આવશે, જ્યારે ઓપ્શન ટ્રેડિંગ પર 0.1% ટેક્સ ચૂકવવો પડશે.


T+2 Bonus Share Trading Framework 
સેબીએ પહેલા બોનસ શેરોના ક્રેડિટ અને ટ્રેડિંગ માટે તેમની પાત્રતા માટે લાગતા સમયને રેકોર્ડ તિથિથી બે દિવસ સુધી કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 1 ઓક્ટોબરથી બોનસ ઈશ્યુની T+2 ટ્રેડિંગ પ્રભાવિત થશે. તેનો મતલબ છે કે, બોનસ ઈશ્યુમાં અપાયેલા શેર હવે રિકોર્ટ તિથિના એકદમ બે દિવસ બાદ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. રેકોર્ડ તિથિ શેરધારકો માટે બોનસ ઈશ્યુ માટે પાત્ર હોવાની કટ ઓફ તિથિ છે. આ નિયમનો હેતુ ઈક્વિટી શેરને બોનસ ઈશ્યુની પ્રક્રિયાને યોગ બનાવવાની છે. 


NSE, BSE પર ટ્રાન્ઝેક્શ દરમાં બદલાવ
એનએસઈ અને બીએસઈ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલ નવા ટ્રાન્ઝેક્શન દર 1 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. એનએસઈ જ્યાં રોકડ અને ડેરિવેટિવ સેગમેન્ટ માટે નવા દર રજૂ કર્યાં છે, ત્યાં બીએસઈએ ઈક્વિટી ડેરિવેટિવ સેગમ્ન્ટમાં સેન્સેક્સ અને બેંકેસ્સ ઓપ્શન કોન્ટ્રાક્ટમાં બદલાવની જાહેરાત કરી છે. 


ઓક્ટોબરની ભયંકર આગાહી : પહેલી તારીખથી જ મેઘતાંડવ થશે, આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદ


બીએસઈએ ઈક્વિટી ડેરિવેટિવ સેગેમન્ટમાં સેન્સેક્સ અને બેંકેક્સ ઓપ્શન કોન્ટ્રાક્ટ માટે ટ્રાન્ઝેક્શન ચાર્જને બદલીને 3250 રૂપિયા પ્રતિ કરોડ પ્રીમિયમ ટર્ન ઓવર કર્યુ છે. જોકે, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં અન્ય કોન્ટ્રાક્ટ માટે લેણદેણ રકમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. સેન્સેક્સ 50 ઓપ્શન અને સ્ટોક ઓપ્શન માટે, બીએસઈએ પ્રીમિયમ ટર્નઓવરના પ્રતિ કરોડ 500 રૂપિયા લેણદેણનો ચાર્જ લેતુ હોય છે, જ્યારે કે ઈન્ડેક્સ અને સ્ટોક ફ્યુચર માટે કોઈ લેણદેણનો ચાર્જ નહિ લાગે. 


નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અનુસાર, રોકડ બજાર માટે ટ્રેડિંગ મૂલ્યના રૂ. 1 લાખ દીઠ રૂ. 2.97 ચાર્જ કરવામાં આવશે. તે જ સમયે, ઇક્વિટી ફ્યુચર્સ માટે, ટ્રેડિંગ મૂલ્યના રૂ. 1 લાખ દીઠ રૂ. 1.73નો ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવામાં આવશે, જ્યારે ઇક્વિટી વિકલ્પો માટે, પ્રીમિયમ મૂલ્યના રૂ. 35.03 પ્રતિ લાખ હશે. કેન્દ્ર સરકારે બજેટ 2024માં સિક્યોરિટી ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.


ફી માળખામાં આ ફેરફાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા 1 જુલાઈ, 2024ના રોજ માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યૂશન્સ (MIIs) દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ અંગે જારી કરાયેલા પરિપત્રને પગલે આવ્યો છે.


ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી, સરકાર ટેકાના ભાવે ખરીદશે ત્રણ પાક