Home Loan After Death: આજકાલ ગણ્યાગાંઠ્યા લોકો એવા છે જે બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન નથી લેતા અને લે પણ કેમ નહીં, બેંક ઓછા વ્યાજ દરે લોનની સુવિધા આપે છે. આવી સ્થિતિમાં લોકો તેમની જરૂરિયાત મુજબ હોમ લોન, ઓટો લોન લે છે. મોબાઈલ ફાઈનાન્સ જેવું લોન માર્કેટ પણ આજે ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો લોન લેનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો આ સ્થિતિમાં બેંક કોની પાસેથી લોનની રકમ વસૂલ કરે છે? સૌથી મોટી વાત એ છે કે શું તમામ પ્રકારની લોન ચૂકવવી જરૂરી છે? કઈ શરતો હેઠળ બેંકને લોન લેનારના વારસદારો પાસેથી નાણાં વસૂલ કરવાનો અધિકાર છે? ચાલો જાણીએ આ સવાલોના જવાબ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર લોન, ઓટો લોન કે બાઈક લોન (Car Loan Rules, Bike Loan Rules after Death):
જો ઓટો લોન લેનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો આ લોનની ચુકવણીની જવાબદારી પરિવારની રહેશે. આવી સ્થિતિમાં બેંક પરિવારના સભ્યોને લોન ચૂકવવા માટે કહી શકે છે. જો પરિવાર આ લોનની ચુકવણી ન કરે તો બેંક વાહનનો કબજો લઈ લે છે અને વાહનની હરાજી કરીને તેની લોન વસૂલ કરે છે.


હોમ લોન (Home Loan Rule After Death):
જો કોઈ વ્યક્તિ જોઈન્ટ હોમ લોન લે છે અને તેમાંથી પ્રાઈમરી અરજદાર મૃત્યુ પામે છે, તો લોનની ચૂકવણીની સંપૂર્ણ જવાબદારી અન્ય સહ-અરજદાર પર આવે છે. જો બીજો અરજદાર પણ લોનની ચુકવણી ન કરે, તો બેંકને સિવિલ કોર્ટ, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ અથવા SARFAESI એક્ટમાંથી લોનની વસૂલાત કરવાનો અધિકાર છે. તમને જણાવી દઈએ કે, આ સ્થિતિમાં, બેંક મિલકતનો કબજો લે છે અને તેને વેચીને તેની લોન વસૂલ કરે છે. જો કે, બેંક પરિવારના સભ્યોને થોડી રાહત આપે છે, જો પરિવારના સભ્યો લોનની બાકી રકમ નિર્ધારિત મર્યાદામાં જમા કરાવે છે, તો ઘરની હરાજી કરવામાં આવતી નથી.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube