ઇ-વોલેટ વાપરતા હો કે ન વાપરતા હો પણ બદલાયેલા નિયમની જાણકારી ફાયદો કરાવશે એની ગેરંટી
એક મોટા નિર્ણયની જાણ હોવી બહુ જરૂરી છે
બ્રજેશ કુમાર, નવી દિલ્હી : ઇ-વોલેટનો વપરાશ કરતા ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. હવે રિઝર્વ બેંકે નક્કી કર્યું છે કે ઇ-વોલેટથી અનધિકૃત લેવડદેવડ થાય તો એમાં ગ્રાહકની કેટલી જવાબદારી હશે. રિઝર્વ બેંક તરફથી જાહેર કરાયેલા નિયમો પ્રમાણે જો ઇ-વોલેટ કે પ્રી પેઇડ ઇન્સ્ટૂમેન્ટ આપતી કંપનીની બેદરકારીના કારણે કોઈ છેતરપિંડી થશે તો એ માટે ગ્રાહક જવાબદાર નહીં હોય.
આ રીતે જો કોઈ થર્ડ પાર્ટી એજન્સીની ભુલથી ગ્રાહકના વોલેટથી ફ્રોડ થાય છે તો એ સ્થિતિમાં ગ્રાહકને ભરપાઈ કરી દેવામાં આવશે. જોકે આના માટે ગ્રાહકે માહિતી મળે એના ત્રણ વર્કિગદિવસની અંદર ઇ-વોલેટ કંપનીમાં ફરિયાદ નોંધાવવી પડશે. જો ગ્રાહક 4-7 દિવસની અંદર ફરિયાદ કરે તો નુકસાનની અસલી રકમ અથવા મહત્તમ 10,000 રૂપિયામાંથી જે રકમ ઓછી હશે એ જ મળશે. જો ગ્રાહક 7 દિવસ પછી ફરિયાદ કરે તો આવા મામલે ઇ-વોલેટ કંપનીની જે પોલીસી હશે એ પ્રમાણે હિસાબ ભરપાઈ કરવામાં આવશે.
નવા વર્ષમાં પાંચમી વાર ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ અને હજી ઘટશે! જાણીનો લો આજનો ભાવ
આ સાથે રિઝર્વ બેંકના નિર્દેશ પ્રમાણે ઇ-વોલેટ કંપનીઓ પોતાની ફરિયાદ રજિસ્ટર કરાવવા માટે 24X7 હેલ્પલાઇન બનાવવી પડશે. ઇ-વોલેટ કંપનીઓ માટે પણ ફરિયાદ મળતા જ પુષ્ટિ કરવાનું અનિવાર્ય હશે. આ માટે ઓટોમેટિક રિપ્લાય જેવી સિસ્ટમ બનાવવી પડશે.
ઇ-વોલેટ મારફતે થનારી તમામ લેવડદેવડ માટે SMS અને ઇ-મેઇલ એલર્ટ જરૂરી બનશે. રિઝર્વ બેંકે આ માટે SMS અને ઇ-મેઇલ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે. દેશમાં ઇ-વોલેટના વધી રહેલા ચલણને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે નવા નિયમ બનાવ્યા છે. અત્યાર સુધીના નિયમ માત્ર ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિગ મારફતે થનારી લેવડદેવડમાં નોંધાતી છેતરપિંડી માટે હતા.