મુંબઈ: જેટ એરવેઝના પૂર્વ સીઈઓ નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDએ મની લોન્ડરિંગના એક કેસ મામલે દરોડા પાડ્યા છે. આ અગાઉ બુધવારે ઈડીએ નરેશ ગોયલને સમન પાઠવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી, RBIએ મૂક્યો હતો પ્રતિબંધ


ગોયલ પર આરોપ છે કે તેઓ પરોક્ષ રીતે વિદેશમાં અનેક કંપનીઓ પર નિયંત્રણ રાખતા હતાં. જેમાંથી કેટલીક ટેક્સ હેવન દેશોમાં છે. પ્રાથમિક તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે નરેશ ગોયલે ટેક્સ બચાવવા માટે ઘરેલુ અને વિદેશી કંપનીઓ વચ્ચે અનેક સંદિગ્ધ લેવડદેવડ કરી અને નાણું દેશ બહાર મોકલ્યું. 


ગત વર્ષ ઓગસ્ટમાં ઈડીએ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઘરની તલાશી લીધી તી જેમાંથી તેમની 19 કંપનીઓના વિવરણ મળ્યા છે. જેમાંથી 5 કંપનીઓ વિદેશમાં છે. જેનાથી જાણવા મળ્યું છે કે સંદિગ્ધ લેવડદેવડ દ્વારા નાણાને વિદેશ મોકલી ગબન કરવામાં આવ્યું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube