અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની બહુ જ મહત્વાકાંક્ષી પરિયોજના બૂલેટ ટ્રેન (Bullet train) અદ્ધતરતાલ લટકી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને 2024 સુધી પૂરુ કરવુ અને બૂલેટ ટ્રેનને ચલાવવાનું લક્ષ્ય હવે મુશ્કેલ જ નહિ, પરંતુ અશક્ય દેખાઈ રહ્યું છે. સૂત્રોની માનીએ તો, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની રાહમાં એક-બે નહિ, પણ એવા 5 મોટા રોડા છે, જેમાં સરકાર બૂલેટ ટ્રેનને લઈને સમયમર્યાદાને બદલવાનો વિચાર કરી શકે છે.


ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયા ગુજરાતનો ખેડૂત, બોલ્યા-ઘર ચલાવવા નહિ, પણ ફરી પાક વાવવા તો સહાય આપો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ લટકી શકે છે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ


1. સૌથી પહેલું અને મોટું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં રાજનીતિક બદલાવ. જોકે, મહારાષ્ટ્રમાં હવે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન (Maha Vikas Agadi) ની સરકાર છે અને શિવસેનાએ પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ આ રાજ્ય સરકારની પ્રાથમિકતાઓમાં નથી. જેથી એ સ્પષ્ટ છે કે, મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન (Mumbai-Ahmedabad) નો રસ્તો હવે સરળ નહિ હોય.


2. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલ વરિષ્ઠ સૂત્રોના અનુસાર, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના હિસ્સામાં 5000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો કે ભાર ઉઠાવવાની જવાબદારી આવી હતી. હવે મુંબઈમાં BKC બે બ્રાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં બૂલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાનું છે. તત્કાલીન રાજ્ય સરકારે બીકેસી જમીનની લેન્ડ વેલ્યુએશન અંદાજે 3000 કરોડ રૂપિયા લગાવ્યુ હતું અને કેન્દ્રને કહ્યું હતું કે, બીકેસીની જમીન બૂલેટ ટ્રેન માટે આપ્યા બાદ તેઓ માત્ર 1500 કરોડનો જ વધારાનો ખર્ચ આ પ્રોજેક્ટ માટે ઉઠાવશે. આવા પેચને કારમે પણ પ્રોજેક્ટનું લટકી જવું નક્કી માનવામાં આવે છે. 


3. ત્રીજો મોટો મુદ્દો જમીન સંપાદનનો છે. મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં 300 હેક્ટર જમીનનુ સંપાદન કરાવાનું છે. સૂત્રો મુજબ, અત્યાર સુધી માત્ર 30 હેક્ટર જમીનનું સંપાદન જ થઈ શક્યું છે. આવામાં સંપાદનનો મુદ્દો મોટો રોડો બની ગયો છે.


4. મહારાષ્ટ્રની નવી સરકારે પણ ઈશારાઓમાં કહ્યું છે કે, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ કેન્દ્રનો છે, અને કેન્દ્ર જ તેના માટે રૂપિયા લાવે. જ્યારે કે રાજ્ય સરકાર પોતાના ભાગના રૂપિયા ખેડૂતો માટે ખર્ચ કરશે.


5. શિવસેનાની અંદર આદિત્ય ઠાકરેને મહારાષ્ટ્રની જનતા વચ્ચે સુપરહીરોની છબી બનાવવાની મોટી જવાબદારી છે. હાલમાં જ આરે ફોરેસ્ટના મુદ્દાને લઈને આદિત્ય ઠાકરેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. શિવસેનાના સૂત્રોના અનુસાર, પાર્ટી એક વાર ફરીથી બૂલેટ ટ્રેન માટે થાણે વિસ્તારમાં મેન્ગ્રુવને નાબૂદ કરવા પર વિરોધ કરી શકે છે.


આવામાં કેન્દ્ર સરકાર માટે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને 2024 સુધી પૂરો કરવો લગભગ અશક્ય છે. સૂત્રો કહે છે કે, કેન્દ્ર સરકાર બૂલેટ ટ્રેન માટે નવી ડેડલાઈન બનાવી શકે છે. 2029 નવી ડેડલાઈન બની શકે છે. બૂલેટ ટ્રેન માટે સરકાર બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની સમયમર્યાદાને વધુ 5 વર્ષ આગળ લઈ જઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube