નવી દિલ્હીઃ નેશનલ ઓટોમેટિક સેટલમેન્ટ સિસ્ટમ (NACH) આગામી 1 ઓગસ્ટ 2021થી સાતેય દિવસ ઉપલબ્ધ હશે. રિઝર્વ બેન્કે શુક્રવારે આ જાણકારી આપી છે. એનએસીએચ ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (એનપીસીઆઈ) દ્વારા સંચાલિત જથ્થાબંધ ચુકવણી સિસ્ટમ છે. તેના દ્વારા ઘણા ક્રેડિટ ટ્રાન્સફર જેમ કે ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શનની ચુકવણી કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય એનએસીએચ વીજળી, ગેસ, ટેલીફોન, પાણી, લોનનો હપ્તો, મ્યુચુઅલ ફંડમાં રોકાણ અને વીમા પ્રીમિયર ચુકવણીનું કલેક્શન પણ કરે છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે દ્વિ-માસિક નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરતા કહ્યું- ગ્રાહકોની સુવિધાઓના વિસ્તાર તથા 24 કલાક ઉપલબ્ધ રહેનારી રિયલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરજીટીએસ) નો પૂરો લાભ લેવા માટે એનએસીએચને એક ઓગસ્ટ, 2021થી સપ્તાહના સાતેય દિવસ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે. હાલમાં આ સુવિધા બેન્કોના કાર્ય દિવસો દરમિયાન જ ઉપલબ્ધ હોય છે. 


આ પણ વાંચોઃ RBI એ આપ્યાં રાહતના સમાચારઃ જાણો RBI ની નવી policy મુજબ કોને મળશે સસ્તા વ્યાજે લોન


શું હોય છે NACH 
આ એક એવી બેન્કિંગ વ્યવસ્થા છે જેના દ્વારા કંપનીઓ અને સામાન્ય વ્યક્તિ પેમેન્ટ પ્રક્રિયા સરળતાથી પૂરી કરી લે છે. સેલરી પેમેન્ટ, પેન્શન ટ્રાન્સફર, ઇલેક્ટ્રિક બિલ, પાણીનું બિલનું પેમેન્ટ આ દ્વારા થાય છે. આજે પોતાની પત્રકાર પરિષદમાં આરબીઆઈ ગવર્નરે કહ્યુ- આ પ્રક્રિયામાં સુધાર બાદ સરકારી સબ્સિડી સમય અને પારદર્શી રીતે લોકોના ખાતામાં પહોંચી જશે. 


SIP પ્રક્રિયામાં આવશે ઝડપ
NACH ના નિયમોમાં આવેલા ફેરફારોની અસર સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી પ્રક્રિયામાં પણ જોવા મળશે. હાલના સમયમાં એસઆઈપી દ્વારા મ્યુચુઅલ ફંડમાં રોકાણમાં એવરેજ 2થી 3 સપ્તાહના સમય લાગી રહ્યો છે. કેટલીક નાની બેન્ક તેનાથી વધુ સમય લઈ રહી છે. નિષ્ણાંતો અનુસાર સપ્તાહના સાતેય દિવસ કામ કરવાથી હવે આ પ્રક્રિયામાં તેજી આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube