Bank Account Nominees: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશનું બેંકિંગ ક્ષેત્ર સતત ગ્રોથ કરી રહ્યું છે. સરકારનું ધ્યાન NPA ઘટાડવા અને બેંકોની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા પર છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા બેંકિંગ ક્ષેત્ર સાથે સંબંધિત કેટલાક મહત્વના ફેરફારો કરવા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કેબિનેટ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું કે, સરકારે બેંકિંગ નિયમોમાં લગભગ 6 ફેરફારોને મંજૂરી આપી છે. આમાં સૌથી મોટો ફેરફાર બેંક ખાતાના નોમિનીને લઈને કરવામાં આવ્યો છે. નવા નિયમ લાગુ થવાથી બેંકના તમામ ખાતાધારકોને અસર થશે. કેબિનેટ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે હવે કોઈપણ બેંક ખાતામાં ચાર સુધી નોમિની કરી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રાહકોની નવી સુવિધા
આ ઉપરાંત ‘સતત અને એક સાથે’ નોમિની બનાવવાની નવી સિસ્ટમ પણ શરૂ કરવામાં આવશે. આ ફેરફારોનો હેતુ ગ્રાહકને કોઈપણ પ્રકારની સમસ્યાથી બચાવવાનો છે. હકીકતમાં, તાજેતરમાં જ સામે આવ્યું છે કે કેટલાય બેંક ખાતા એવા છે, જેમાં હજારો કરોડ રૂપિયા પડેલા છે, અને તેના કોઈ દાવેદાર જ નથી. આ અંગે આરબીઆઈ દ્વારા વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. પરંતુ તેના પણ સંતોષકારક પરિણામો મળ્યા નથી. આ કારણોસર નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.


દેશની 15 AIIMS માં ખાલી પડેલી જગ્યા ભરાશે, ઓગસ્ટ મહિનાની આ તારીખ સુધી કરી શક્શો અરજી


નવો નિયમ શું છે 
હાલમાં, જ્યારે તમે બેંક ખાતું ખોલો છો, ત્યારે તમારે નોમિનીનું નામ દાખલ કરવું પડશે. તેનો ઉદ્દેશ્ય તમારા મૃત્યુ પછી ખાતામાં જમા થયેલ પૈસા તે વ્યક્તિને આપવાનો છે. હાલમાં, તમે આ માટે નોમિની લિસ્ટમાં માત્ર એક જ વ્યક્તિનું નામ લખી શકો છો. પરંતુ હવે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આપવામાં આવેલી મંજૂરી પછી, નવા નિયમ હેઠળ, તમે તમારા ખાતામાં એકથી વધુ વ્યક્તિને નોમિની બનાવી શકશો. વધુમાં, વીમા અને હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) ખાતાની જેમ, સળંગ અને એક સાથે નામાંકન કરવાની સુવિધા સંયુક્ત ખાતાધારક અને વારસદારોને ખાતાધારકના મૃત્યુ પછી નાણાં મેળવવા સક્ષમ બનાવશે.


વધુ નોમિની હોઈ શકે છે 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર, કેન્દ્ર દ્વારા સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં એક કરતા વધુ નોમિની હોઈ શકે છે. જો કે, આ નિયમોની સંપૂર્ણ માહિતી ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બિલ રજૂ કરશે. સરકાર અને અધિકારીઓ દ્વારા આ અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. થોડા મહિના પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંક ખાતાઓ અને અન્ય સ્થળોએ જમા નાણાં અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેનો કોઈ દાવો કરતું નથી.


ગુજરાતી ફિલ્મના શુટિંગમાં થયો હતો ચમત્કાર! એક ચકલીને જોવા થિયેટર ખીચોખીચ ભરાઈ જતા


હકદાર માલિકોને રૂપિયા મળશે
નાણામંત્રીએ બેંકો, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય કંપનીઓને આ નાણાં ખાતેદારના હકદાર માલિકોને પરત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં, માર્ચ 2024 ના અંત સુધીમાં, આવા નાણાંની રકમ વધીને 78,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ. બેંકોએ આવા પૈસાના દાવાઓનું સમાધાન કરવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા હતા. કાયદામાં ફેરફાર કરવાની પણ યોજના છે, જેથી જો કોઈની પાસે શેર અથવા બોન્ડમાંથી બોનસ મની હોય અને તેનો દાવો ન કરવામાં આવે તો તેને ઈન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ)માં ટ્રાન્સફર કરી શકાય. હાલમાં માત્ર બેંકોના શેર જ IEPFમાં ટ્રાન્સફર થાય છે.


ઓડિટરનો પગાર નક્કી કરવાની સ્વતંત્રતા
આ સિવાય સરકારે બેન્કોને ઓડિટરને ચૂકવવામાં આવનાર પગાર નક્કી કરવાની સ્વતંત્રતા આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં આ સત્તા રિઝર્વ બેંક પાસે હતી. આ સિવાય જે શેરધારકો રૂ. 2 કરોડ સુધીના શેર ધરાવે છે તેમને સંબંધિત કંપનીમાં નોંધપાત્ર શેરધારકો તરીકે ગણવામાં આવશે. પહેલા આ મર્યાદા 5 લાખ રૂપિયા હતી, તે લગભગ 60 વર્ષ પહેલા નક્કી કરવામાં આવી હતી. આ બિલમાં બેંકો માટે નિયમનકારી અનુપાલન તારીખોને ફરીથી નિર્ધારિત કરવાનો પણ પ્રસ્તાવ છે. આ અંતર્ગત બેંકોએ દર મહિનાની 15મી અને છેલ્લી તારીખે રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે, હાલમાં આવું બીજા અને ચોથા શુક્રવારે થાય છે.


ગુજરાતની 54 નગરપાલિકાના નાગરિકોના હિતમાં દાદાની સરકારનો મોટો નિર્ણય