Money Transfer by Aadhaar Card: કોરોના કાળમાં ઘણી બધી વસ્તુઓનું નુકસાન થયું. ધંધા-રોજગારથી માંડીને મંદીનો દૌર. અને સૌથી વધારે માનવજાતિની આહુતિઓ જે ખોટ ક્યારેય પુરાય તેમ નથી. પણ દરેક ખરાબ પ્રસંગમાંથી કંઈક સારું શિખવા મળે છે. એ જ રીતે કોરોનાને કારણે એકબીજાને અડકવું ન પડે તે આશયથી આપણે સૌ ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યાં. આજે એજ કારણે ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. જેનાથી દેશની ઈકોનોમિને બળ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના દરેક નાગરિકને આધાર કાર્ડ આપવામાં આવે છે. તમે આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખ કાર્ડ તરીકે જ નહીં, પરંતુ તેની મદદથી તમે પૈસા પણ ઉપાડી શકો છો. તે જ સમયે, હવે તમે ફક્ત આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ કરી શકો છો. Aadhaar Enabled Payment System (AePS) ની મદદથી તમે ડિજિટલ વ્યવહારો કરી શકો છો.


AePS સિસ્ટમ પર કઈ સેવાઓ-
AePS સિસ્ટમની મદદથી, તમે રૂપિયા ઉપાડી શકો છો. આ સાથે બેલેન્સ ચેકિંગ, પૈસા જમા કરાવવા અને આધારથી આધારમાં ફંડ ટ્રાન્સફર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મીની બેંક સ્ટેટમેન્ટ અને eKYC બેસ્ટ ફિંગર ડિટેક્શન વગેરેની સુવિધા મેળવી શકે છે.


AePS સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો?
તમારા વિસ્તારના બેંકિંગ સંવાદદાતા પાસે જાઓ.


હવે OPS મશીનમાં 12 અંકનો આધાર નંબર દાખલ કરો.


તે પછી ઉપાડ, જમા, કેવાયસી અને બેલેન્સ પૂછપરછ વગેરે જેવી કોઈપણ એક સેવા પસંદ કરો.


હવે બેંકનું નામ અને ઉપાડવાની રકમ દાખલ કરો.


આ પછી બાયોમેટ્રિક ટ્રાન્ઝેક્શનને વેરિફાઈ કરો, જેના પછી તમે પૈસા ઉપાડી શકો છો.


આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આધાર નંબર, આઇરિસ સ્કેન અને ફિંગરપ્રિન્ટ વડે વેરિફિકેશન કરીને એટીએમ દ્વારા નાણાકીય વ્યવહારોને મંજૂરી આપે છે. આ સિસ્ટમને ખૂબ જ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે તેમાં તમારે બેંક વિગતો આપવાની જરૂર નથી. જો તમે આ સેવાનો લાભ લેવા ઈચ્છો છો, તો તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. જો તમારું એકાઉન્ટ બેંક સાથે લિંક નથી, તો તમે આ સિસ્ટમમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. આ સિસ્ટમ હેઠળ, વ્યવહારો કરવા માટે કોઈ OTP અને PIN ની જરૂર નથી. એક આધાર કાર્ડને અનેક બેંક ખાતાઓ સાથે લિંક કરી શકાય છે.