નવી દિલ્હીઃ ખાનગી નોકરિયાતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પેન્શનરોના સંગઠન EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના જણાવ્યા અનુસાર, સીતારમણે ખાતરી આપી હતી કે સરકાર તેમની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે અને તેમની માંગણીઓને પહોંચી વળવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરશે. EPS-95 નેશનલ એક્શન કમિટી (NAC)માં લગભગ 78 લાખ નિવૃત્ત પેન્શનરો અને ઔદ્યોગિક ક્ષેત્રના 7.5 કરોડ કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમિતિએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “નાણામંત્રીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી છે કે સરકાર વૃદ્ધોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે અને EPFO ​​દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. તેમણે તેમની ખાતરીનો પુનરોચ્ચાર કર્યો કે સરકાર પેન્શનરો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેનો ઉકેલ શોધી કાઢવામાં આવશે.


આ પણ વાંચોઃ મુકેશ અંબાણી હવે ધડાધડ આપશે લોન! કંપનીના નવા પ્લાનથી બેંકો થર થર કાંપવા લાગી


કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આ મહિને EPS-95 NAC પ્રતિનિધિઓને મળ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે સરકાર તેમની માંગ પૂરી કરવા માટે જરૂરી પગલાં લેશે.


EPS-95 NAC સભ્યો હાલમાં માત્ર રૂ. 1,450ના સરેરાશ માસિક પેન્શનને બદલે રૂ. 7,500ના માસિક પેન્શનની માગણી માટે વિરોધ કરી રહ્યા છે. તેઓ એ પણ માંગણી કરી છે કે  EPS સભ્યો અને તેમના જીવનસાથીઓને સંપૂર્ણ મેડિકલ સુવિધા આપવામાં આવે. EPS-95 NAC ના પ્રમુખ અશોક રાઉતે કહ્યું કે પેન્શનરો છેલ્લા આઠ વર્ષથી ન્યૂનતમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી.