નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારીના લીધે લોનના EMI ચૂકવવાને લઇને આ વર્ષે માર્ચમાં જે પ્રતિબંધ લગાવ્યો હતો, તે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ ચૂકી છે. આ મોરેટોરિયમ એટલે કે છૂટના કેસમાં આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મહત્વપૂર્ણ સુનાવણી થઇ. કોર્ટે આ છૂટની અવધિને વધારવા અને વ્યાજ માફ કરવાની માંગ પર કરવામાં એક અરજી પર સુનાવણી કરી. આગામી સુનાવણી ગુરૂવારે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન લોનધારકોના વકીલ રાજીવ દત્તાએ કહ્યું કે મોટાપાયે જનતા નર્કના સમયમાં જીવી રહી છે. હું તે બધામાં જઇશ નહી. તેમણે કહ્યું કે રિઝર્વ બેન્ક અમારી મદદ માટે એક યોજના લાવે, પરંતુ આ બીજો આધાત છે કારણ કે અમારા પર ચક્રવૃદ્ધિ વ્યાજ લાગી રહ્યું છે. વકીલે કહ્યું કે આખા દેશમાં તમામ ક્ષેત્રોમાં ઘટાડો આવ્યો છે અને આરબીઆઇ ઇચ્છે છે કે બેન્ક ફાયદો કમાય. 


બેંક વ્યાજ પર વ્યાજ માંગી રહી છે
લોનધારકોના વકીલે કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્કના ફક્ત એક નિયામક છે, બેન્ક એજન્ટ નથી. એવું લાગે છે કે બેન્ક આરબીઆઇની પાછળ છુપાઇ છે. વકીલે કહ્યું કે 'બેન્ક વ્યાજ પર વ્યાજ માંગી રહી છે, બેન્ક તેને ડિફોલ્ટ ગણે છે. અમારા તરફથી કોઇ ડિફોલ્ટ નથી. દત્તાએ કહ્યું કે આ બેન્કો માટે મહેસૂલ નથી એટલા માટે તે એમ ન કહી શકે કે તેમને નુકસાન થશે. 


વકીલ રાજીવ દત્તાએ કહ્યું કે આરબીઆઇ ઇચ્છે છે કે બેન્ક કોરોનાકાળમાં વધુ નફો કમાઇ, આ યોગ્ય નથી. સરકાર કહી રહી છે કે એક માપના તમામને રાહત ન મળી શકે. તે પોતાનું પુનર્ગઠન કરવા માંગે છે, પરંતુ પોતાના દેશના નાગરિકોને સજા મત આપો. તેમણે કહ્યું કે સરકાર આરબીઆઇનો બચાવ કરી રહી છે. દત્તાએ કહ્યું કે વ્યાજ લગાવવું પ્રથમ દ્રષ્ટિએ સંપૂર્ણપણે ખોટું છે અને તેને લગાવવું ન જોઇએ. 


ક્રેડાઇના વકીલે શું કહ્યું?
ક્રેડાઇ તરફથી વકીલ સુંદરામે કહ્યું કે વ્યાજ પર ઘટાડાને બેંકો પર છોડી દીધું છે. જ્યાં સુધી વ્યાજમાં ઘટાડાનો સંબંધ છે, આરબીઆરને તેને આરબીઆઇ અધિનિયમ હેઠળ નિર્દેશના રૂપમાં આપવું જોઇએ. પરંતુ બેંકોને આ ન્રિણૅય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે કે વ્યાજમાં ઘટાડો કરી શકાય કે નહી. 


તેમણે કહ્યું કે બેન્કોને ઉધારકર્તાની ઑળખ માટે વાણિજ્યિક વિવેક પર નિર્ણય લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. સુંદરામે કહ્યું કે ઓગસ્ટ 6 પરિપત્રમાં બધુ બેંકો પર છોડી દેવામાં આવ્યું છે. ક્રેડાઇના વકીલએ કહ્યું જો વ્યાજ નહી છોડવામાં ન આવે તો બેન્ક તેને ઓછું કરીને જમાકર્તાઓને અદા કરી શકે છે. 


વકીલ સુંદરામે કોર્ટને કહ્યું કે વધુ વ્યાજ લેનાર કરદાતાઓ પર દાંડિક વ્યાજ લગાવવું યોગ્ય નથી. તેનાથી NPA માં વધારો થઇ શકે છે. 


સુપ્રીમ કોર્ટના વકીલને પૂછ્યું કે અમે કયા પ્રકારની આપી શકીએ? તેના પર વકીલે કહ્યું કે બેન્કોને કહેવામાં આવે કે તે નફો છોડી દે. પાવર સેક્ટરની માંગમાં ખૂબ ઘટાડો આવ્યો છે. બેન્ક દરેક સેક્ટર સાથે બેસીને એવો ઉકેલ કાઢે જેનાથી બંનેનું નુકસાન ન થાય. જો આમ નહી થાય તો અર્થવ્યવસ્થા પર ઘણી અસર પડશે.