PM Kisan: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનામાં ડિસેમ્બર-માર્ચની 7 મો હપ્તો લગભગ 9.42 કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 11.52 કરોડ ખેડૂતોએ નોંધણી કરાવી છે. પરંતુ હજી પણ ઘણા ખેડૂતો સુધી પીએમ કિસાન નિધિના નાણાં પહોંચ્યા નથી, જો તમે પણ તે ખેડૂતોમાં છો, તો અમે તમને તે રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે પૈસા કેમ નથી આવ્યા તે શોધી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.6 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે રકમ
તમને જણાવી દઈએ કે સરકાર ખેડૂતોના હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા ત્રણ હપ્તામાં મોકલે છે. પ્રથમ હપ્તા એપ્રિલથી જુલાઇ, બીજો હપ્તા ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો હપ્તા ડિસેમ્બરથી માર્ચ સુધી આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં છ હપ્તા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં સાતમો હપ્તા 9,41,90,188 ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે. હાલમાં સાતમા હપ્તાની રકમ 1.6 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી નથી. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર પીએમ કિસાન યોજનાનો સાતમો હપ્તો માર્ચ 2021 સુધીમાં તમામ ખેડુતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કેટલાક ખેડુતોના આધારકાર્ડ નંબર અને બેંક ખાતાના નંબરમાં કેટલીક ભૂલો મળી હતી. હવે તેમના ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ ખેડુતોના ખાતામાં સાતમો હપ્તો જમા કરવામાં આવશે.


આ પણ વાંચો:- Budget 2021: તમે પણ સસ્તામાં ખરીદી શકો છો ઇલેક્ટ્રિક કાર! બજેટમાં થઈ શકે છે જાહેરાત


આ નાની ભૂલથી બચો, નહીં અટકે તમારા પૈસા
ઘણી વખત ફોર્મ ભરતા સમયે ભૂલો થાય છે, જેના કારણે પીએમ કિસાનના પૈસા અટકી જાય છે, પરંતુ ગભરાવવાની જરૂરિયાત નથી. તમે PM Kisan પોર્ટલ પર જઈ તે જોઈ શકો છો કે, શું ભલુ થઈ છે.


1. સૌ પ્રથમ PM-Kisan Scheme ની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર જાઓ.
2. આ વેબસાઇટમાં 'Farmers Corner' ના વિકલ્પ પર ક્લિક કરો.
3. આ વિભાગ પર ગયા પછી તમે લાભાર્થી યાદી (Beneficiary Status) પર ક્લિક કરો.
4. આ પછી તમારે તમારા ક્ષેત્રને લગતી માહિતી ભરવાની રહેશે, જેમ કે આ વિભાગમાં રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામનું નામ.
5. 'Get Report' ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી, આખી સૂચિ તમારી સામે દેખાશે.
6. આ સૂચિમાં, તમે તમારા હપતાનું Status જોઈ શકો છો.


આ પણ વાંચો:- Budget 2021: મોંઘા થઈ શકે છે ફ્રિઝ અને વોશિંગ મંશીન! જાણો કેમ?


ભુલ થવા પર અહીં કરો ફરિયાદ
ક્યાંક કોઈ ભુલ થવા પર અહીં કરો ફરિયાદ- તમે ઇચ્છો તો આ હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકો છો.


પીએમ-કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
પીએમ-કિસાન હેલ્પલાઈન નંબર: 155261
પીએમ-કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 23382401
પીએમ-કિસાન નવી હેલ્પલાઇન: 011-24300606
પીએમ-કિસાનની અન્ય એક હેલ્પલાઇન છે: 0120-6025109


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube