Pradhanmantri Suryodaya Yojana: અયોધ્યાથી પાછા ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોટો નિર્ણય લીધો. પીએમ મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ એક કરોડ જેટલા લોકોને મળશે. આ યોજના અને તેની તમામ વિગતો વિશે ખાસ જાણો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી યોજનાની જાહેરાત
પીએમ મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે. પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ લોકોના ઘર પર રૂફટોપ સોલર પેનલ લગાવવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું કે સૂર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના તમામ ભક્તગણ હંમેશા ઉર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર મારો એ સંકલ્પ વધુ પ્રશસ્ત થયો કે ભારતવાસીઓના ઘરની છત પર તેમની પોતાની સોલર રૂફ ટોપ સિસ્ટમ હોય. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube