નવી દિલ્લીઃ વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 'PM વય વંદના યોજના' શરૂ કરી છે. આ અંતર્ગત તમે વાર્ષિક 1,11,000 રૂપિયા સુધીનું પેન્શન (Senior Citizens Savings Scheme) મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમયગાળો કેટલો લાંબો છે-
વૃદ્ધોને તેમના જીવનના નિર્ણાયક તબક્કે આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરવામાં આવી છે. તેની અવધિ 31 માર્ચ, 2020 સુધી હતી, પરંતુ હવે તેને માર્ચ, 2023 સુધી લંબાવી દેવામાં આવી છે.


કેવી રીતે મળશે લાભ-
આ યોજના સાથે જોડાવા માટે લઘુત્તમ કામ કરવાની ઉંમર 60 વર્ષ છે. એટલે કે 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો તેમાં રોકાણ કરી શકે છે. આ હેઠળ કોઈ મહત્તમ વય મર્યાદા નથી.


LICને મળી છે જવાબદારી-
આ સ્કીમમાં વ્યક્તિ વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજનાના સંચાલનની જવાબદારી જીવન વીમા નિગમ (LIC)ને સોંપવામાં આવી છે. આ યોજનામાં પેન્શન માટે, તમારે એક સામટી રકમનું રોકાણ કરવું પડશે. અને પછી તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકો છો.


વર્ષે કેટલું પેન્શન મળશે-
આ યોજના હેઠળ, તમારે દર મહિને 1000 રૂપિયાના પેન્શન માટે 1,62,162 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ યોજના હેઠળ, મહત્તમ માસિક પેન્શન રૂ. 9,250, ત્રિમાસિક રૂ. 27,750, અર્ધવાર્ષિક પેન્શન રૂ. 55,500 અને વાર્ષિક પેન્શન રૂ. 1,11,000 છે.


કેવી રીતે કરશો રોકાણ-
તમે PMVVY યોજના વિશે વિગતવાર માહિતી માટે 022-67819281 અથવા 022-67819290 ડાયલ કરી શકો છો. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર - 1800-227-717 પણ ડાયલ કરી શકો છો.


સર્વિસ ટેક્સમાં છૂંટ-
આ યોજનાને સર્વિસ ટેક્સ અને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે તમે કોઈ ગંભીર રોગ અથવા જીવનસાથીની સારવાર માટે પણ સમય પહેલા આ પૈસા ઉપાડી શકો છો.


જરૂરી દસ્તાવેજ-
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ માટે, તમારી પાસે પાન કાર્ડની નકલ, સરનામાના પુરાવાની નકલ અને બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ હોવી ફરજિયાત છે.


લોન સુવિધા પણ ઉપલબ્ધ-
આ સ્કીમમાં તમારા માટે લોનની સુવિધા પણ છે. આમાં, તમે પોલિસીના 3 વર્ષ પછી PMVVY પર લોન લઈ શકો છો. લોનની મહત્તમ રકમ ખરીદી કિંમતના 75% થી વધુ ન હોઈ શકે. આ યોજના સરકારની અન્ય પેન્શન યોજનાઓની જેમ ટેક્સ બેનિફીટ પ્રદાન કરતી નથી.