નવી દિલ્હીઃ કોરોના કાળ બાદ જીવનની અસ્થિરતા વચ્ચે વીમાનું મહત્વ લોકોને સારી રીતે સમજાવા લાગ્યું છે. એટલે લોકો વીમા યોજના પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. સરકાર પણ સમાજના દરેક વર્ગ સુધી વીમો પહોંચાડવા માટે ખૂબ જ ઓછા પૈસામાં ઈન્સ્યોરન્સની સુવિધા આપી રહી છે. આ ક્રમમાં જ સરકારની સ્કીમ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) છે. જે તમને ચાર લાખ રૂપિયા સુધીનું કવર કરી રહી છે. જે તમને ચાર લાખ રૂપિયા સુધીનું કવર આપી રહ્યું છે. તો આવો જાણીએ આ સ્કીમથી તમને કેટલો ફાયદો થશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!

BOB આપી રહ્યું છે ચાર લાખનો ફાયદો:
બેંક ઑફ બરોડના ગ્રાહકો આ યોજનાનો લાભ લઈ શકે છે. સરકારની તરફથી આ ખાસ યોજના અને ચાર લાખ રૂપિયાનો ફાયદો ઉઠાવવા માટે આ બે સ્કીમ્સમાં ઈન્વેસ્ટ કરવાનું રહેશે. પહેલું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને બીજું ધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY). આ બંન સ્કીમ્સ પર કુલ મળીને 342 રૂપિયા વાર્ષિક રકમ લગાવવી પડશે. તેનો મતલબ છે કે તમારે દર મહિને 28 રૂપિયા જમા કરાવવા પડશે.


SBIના ગ્રાહકોને મળશે લાભ:
આ સિવાય આ યોજનાનો લાભા એસબીઆઈના ગ્રાહકો પણ લઈ શકે છે. દેશના મોટા સાર્વજનકિ ક્ષેત્રના બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ બે સ્કીમ્સ વિશે જાણકારી આપી છે. SBIએ આ ટ્વીટમાં કહ્યું છે કે, તમારી જરૂર પ્રમાણે વીમો કરાવી લો અને ચિંતા મુક્ત જીવન જીવો. ઑટો ડેબિટ સુવિધાના માધ્યમથી બચત બેંક ખાતાધારકોના પ્રીમિયમ કાપવામાં આવશે. વ્યક્તિ માત્ર એક બચત ખાતાના માધ્યમથી યોજનામાં સામેલ થવા માટે પાત્ર હશે.

એક લાખથી પણ ઓછામાં મળી રહ્યું છે સૌથી શાનદાર ઓફ રોડ બાઈક! Royal Enfield Himalayan ના ચાહકો જલ્દી કરો!

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના:
તમને જણાવી દઈએ કે પીએમ સુરક્ષા યોજના અંતર્ગત દુર્ઘટનામામાં વીમા ધારકનું મૃત્યુ થવા પર કે પુરી રીતે વિકલાંગ થવા પર 2 લાખનું વળતર મળી શકે છે. આ યોજના અંતર્ગત વીમા ધારક આંશિક રીતે સ્થાયી રૂપથી વિકલાંગ થઈ જાય તો તેને એક લાખ રૂપિયાનું કવર મળી શકે છે. આમાં 18 વર્ષથી 70 વર્ષી ઉંમર સુધીનું કોઈ પણ વ્યક્તિ કવર લઈ શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે.


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના:
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમા ધારકનું મૃત્યુ થઈ જવા પર નૉમિનીને 2 લાખ રૂપિયા મળી શકે છે. આ યોજાનાનો લાભ 18 વર્ષથી 50 વર્ષ સુધીનું કોઈ પણ લઈ શકે છે. આ માટે તમારે માત્ર 330 રૂપિયા પ્રીમિયમ આપવું પડશે. આ બંને જ ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી છે. તે વર્ષભર માટે હોય છે.

રાંધણ ગેસનો બાટલો અને સગડી બધુ જ મળશે મફત! જલ્દી જાણી લો PM ઉજ્જવલા યોજનાની આ વિગતો

માછીમારો થઈ જશે માલામાલ! હવે માછલી પણ ઓનલાઈન, ફોનવાલેની જેમ હવે Fishwale.Com!

ગજબનું છે આ સમડીવાળું લેપટોપ! ગેમિંગ નોટબુકવાળા આ લેપટોપમાં છે ક્યારેય નહીં જોયા હોય તેવા ફીચર્સ!

FB પર તને કેટલી લાઈક મળી? હવે એવું નહીં સાંભળવા મળે! હવે Facebook પરથી ગાયબ થઈ જશે Like બટન!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube