પીએનબી સ્કેમના મુખ્ય આરોપી અને હીરા વેપારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે પ્રવર્તન નિર્દેશાલય (ED)એ નીરવ મોદીની હોંગકોંગમાં 255 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ પહેલા પણ ઈડીએ ચાર દેશોમાં નીરવ મોદીની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ દરમિયાન પ્રવર્તન નિર્દેશાયલએ પાંચ વિદેશી ખાતા જપ્ત કર્યા હતા. આ ખાતામાં નીરવના 278 કરોડ રૂપિયા જમા હતા. આ ઉપરાંત નીરવ મોદીની જ્વેલરી અને મુંબઈના ઘરને પણ જપ્ત કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13400 કરોડના કૌભાંડનો આરોપ
ઉલ્લેખનીય છે કે, હીરા વેપારી નીરવ મોદી પર 13400 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડનો આરોપ છે. હાલમાં જ નીરવ મોદીની વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયા બાદ પણ કરોડોના ઝવેરાત હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં કાર્યવાહી કરતા ઈડીએ 637 કરોડ રૂપિયાની ચળ-અચળ સંપત્તિને જપ્ત કરી હતી. ઈડીના જણાવ્યા અનુસાર, પીએનબી કૌભાંડમાં અત્યાર સુધી કુલ એટેચમેન્ટ 4744 કરોડ રૂપિયાનું કરાયું છે. 


ભાઈ અને પત્નીની વિરુદ્ધ કેસ દાખલ
ઈડીએ ગત દિવસોમાં કાર્યવાહી દરમિયાન હોંગકોંગથી 22 કરોડ 69 લાખની જ્વેલરી પરત મંગાવી હતી. આ જ્વેલરીને પણ ઈડી દ્વારા સીઝ કરવામાં આવી છે. જ્વેલરીની કિંમતને કાગળ પર 85 કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી. નીરવ મોદીએ આ અચળ સંપત્તિ વર્ષ 2017માં ખરીદી હતી. સીબીઆઈએ આ મહાકૌભાંડમાં નીરવ મોદી, તેમના ભાઈ, તેમની પત્ની અને વેપારી ભાગીદારની વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. 


તપાસ એજન્સીએ મોદી, તેમના ભાઈ, પત્ની એમી અને મેહુલ ચીનુભાઈ ચોક્સીના ઘર પર છાપામારી કરી છે. આ તમામ ડાયમંડ્સ આર યુએસ, સોલર એક્સપોર્ટસ અને સ્ટેલર ડાયમંડ્સમાં ભાગીદાર છે. આ સૌથી વચ્ચે ચર્ચામાં આવેલ નીરવ મોદી વિશે તમને જણાવી દઈએ કે, તે ફેમસ જ્વેલરી ડિઝાઈનર છે, અને તેમની ઓળખ એક ડાયમંડ કિંગના રૂપમાં છે.