નવી દિલ્હી : ઇન્ડિયન રેલવે પ્લાસ્ટિકથી વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે નવી-નવી યોજના લાવી રહ્યું છે. હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલવેએ કેટલીક શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી પ્લેટોમાં ભોજન આપવાનું શરૂ કરી દીધું છે. હવે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત પાણીની ખાલી બોટલને ક્રશ કરવાથી તેમને 5 રૂ. પરત મળશે. આની સાથે પ્રવાસીઓને આર્થિક ફાયદો તો થશે જ પણ પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા પ્રયાસના ભાગરૂપે ભારતીય રેલવેએ વડોદરા રેલવે સ્ટેશન પર બોટલ ક્રશર મશીન (bottle crusher) લગાવ્યા છે જેનો હેતુ પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરવાનો છે. આ માટે પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે રેલવેએ બોટલ ક્રશ કરવા માટે 5 રૂ. કેશબેક આપવાની ઓફર પણ કરી છે. વડોદરા રેલવે સ્ટેશન પર આ પ્રયાસને સફળતા મળશે તો ભવિષ્યમાં બીજા સ્ટેશનો પર પણ આવા જ મશીન લગાવવામાં આવશે. 


અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરેની મુલાકાત સફળ ન રહી? એકલા હાથે ચૂંટણી લડશે શિવસેના


બિઝનેસને લગતા બીજા સમાચાર જાણવા કરો ક્લિક...