LPG Cylinder at Ration Shop: જો તમારી પાસે પણ રાશન કાર્ડ હોય અને તમે તેના દ્વારા સરકારની રાશન યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા હોવ તો આ ખબર તમારા કામની છે. સરકાર દ્વારા શરૂ થનારી આ નવી યોજના અંગે જાણીને તમે પણ ચોક્કસપણે કહેશો કે આ વખતે તો રાશનકાર્ડ ધારકોને લોટરી લાગી જાણે. યોજના હેઠળ હવે રાશન વિતરણની દુકાન પર રાહત દરે LPG ગેસ સિલિન્ડર મળશે. સરકાર તરફથી આ યોજનાને ગરીબ રાશનકાર્ડ ધારકો માટે શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 કિલોવાળો ગેસનો બાટલો મળશે
આ યોજના હેઠળ રાશનકાર્ડ ધારકોને 5 કિલોવાળો ગેસનો બાટલો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની યોજના દિવાળી પહેલા શરૂ કરવાની તૈયારી છે. આ યોજનાના અમલીકરણ માટે આપૂર્તિ વિભાગ અને ઓઈલ કંપનીઓના અધિકારીઓ વચ્ચે બેઠક પણ થઈ ચૂકી છે. અત્રે જણાવવાનું કે રાશન દુકાનદાર સરકાર પાસેથી સતત કમિશનની માંગણી કરી રહ્યા છે. તેમનો એવો તર્ક છે કે વધતી મોંઘવારી વચ્ચે ગત દરો પર મળી રહેલું કમિશન પૂરતું નથી. 


જનસુવિધા કેન્દ્ર ખોલવાની પણ મંજૂરી
પરંતુ સરકારે કમિશન વધારવાની જગ્યાએ રાશનની સરકારી દુકાનો ચલાવનારોની આવક વધારવા માટે આ વ્યવસ્થા શરૂ કરી છે. જે હેઠળ તાજેતરમાં રાશનની દુકાનો પર જનસુવિધા કેન્દ્રો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી. જનસુવિધા કેન્દ્રો પર આવક અને રહેઠાંણ પ્રમાણપત્ર વગેરે બનાવડાવી શકાય છે. નવી યોજના હેઠળ રાશનની દુકાનો પર 5 કિલોગ્રામવાળા રાંધણગેસના બાટલાનું વેચાણ કરાવવાની યોજના છે. 


રાશનની દુકાનો પર બાટલાની કિંમત
સિલિન્ડરના વેચારણ પર દુકાનદારોને ઓઈલ કંપનીઓ તરફથી કમિશન આપવામાં આવશે. ઉજ્જવલા ગેસ કનેક્શન ધારકોને 5 કિલોવાળો એલપીજી બાટલો 339 રૂપિયાના રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભાવ પાછળથી વધઘટ થઈ શકે છે. અન્ય લોકોએ આ સિલિન્ડર માટે 526 રૂપિયા ચૂકવવા પડશે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબો અને નાના વેપારીઓએ ગેસ સિલિન્ડર માટે એજન્સી કે શહેર જવાની જરૂર પડશે નહીં.


આ Video પણ  ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube