RBI MPC Meeting: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની ત્રણ-દિવસીય દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા (MPC) ના પરિણામો હવેથી થોડા કલાકોમાં જાહેર કરવામાં આવશે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલી ત્રણ દિવસીય MPCનો આજે છેલ્લો દિવસ છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી RBI ગવર્નર શક્તિકાંત દાસ આપશે. જો તમે સસ્તી હોમ લોન કે પર્સનલ લોનની રાહ જોઈ રહ્યા છો, તો આજે તમને ફરી એકવાર આંચકો લાગી શકે છે. મોંઘવારીના આંકડાઓને જોતા આ વખતે પણ રેપો રેટમાં ઘટાડો થવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. જોકે, રિયરએસ્ટેટ સહિત અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝ તરફથી વ્યાજ દરમાં રાહત આપવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત નવ MPC રેપો રેટમાં કોઈ ફેરફાર નથી
જો કે આરબીઆઈ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે તો આ સતત 10મી વખત હશે જ્યારે તે જૂના સ્તર પર કાયમ રાખવામાં આવશે. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી છેલ્લી નવ દ્વિ-માસિક નાણાકીય સમીક્ષાઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવાનો દર ચાર ટકા (બે ટકા ઉપર કે નીચે) રહે તે સુનિશ્ચિત કરવાનું કામ સરકારે કેન્દ્રીય બેંકને સોંપ્યું છે. હાલમાં નિષ્ણાતો માને છે કે આરબીઆઈ યુએસ ફેડરલ રિઝર્વને અનુસરશે નહીં તેવી આશા ઓછી છે, જેણે બેન્ચમાર્ક રેટમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે.


મોંઘવારીના અનુમાનમાં 0.1-0.2 ટકાનો ઘટાડો થઈ શકે છે અને જીડીપી અંદાજમાં કોઈ ફેરફારની કોઈ શક્યતા નથી. સેન્ટ્રલ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો અને ત્યારથી તે સમાન સ્તરે યથાવત છે. ICRA ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે શરૂઆતી પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ MPCના અંદાજ કરતાં નીચી રહેવા અને બીજા ક્વાર્ટરમાં છૂટક મોંઘવારી દર નીચા રહેવાને ધ્યાનમાં રાખીને એવું માનવામાં આવે છે કે ઓક્ટોબર 2024 ની MPCમાં તેણે જૂના સ્તર પર જાળવી રાખવું યોગ્ય છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર, 2024 અને ફેબ્રુઆરી, 2025માં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થઈ શકે છે.


મોંઘવારી દર હજું પણ ચિંતાનું કારણ
આ વખતે ત્રણ નવા બાહ્ય સભ્યોને એમપીસીમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિટેલ ફુગાવો હજુ પણ ચિંતાનું કારણ બનેલો છે. આ સિવાય પશ્ચિમ એશિયાનું સંકટ વધુ વકરે એવી શક્યતા જોવામાં આવી રહી છે, જેની અસર ક્રૂડ ઓઈલ અને કોમોડિટીના ભાવ પર પડશે. RBI ગવર્નર શક્તિકાંત દાસ MPC દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વિશે વિગતવાર માહિતી આપશે. જાણકારોનું માનવું છે કે રિઝર્વ બેંક તરફથી રેપો રેટમાં ઘટાડાની કોઈ આશા દેખાઈ રહી નથી, કારણ કે ફુગાવાનો દર હજુ પણ ચિંતાજનક સ્તરે છે. રેપો રેટ ફેબ્રુઆરી 2023થી 6.5 ટકાના સ્તરે યથાવત છે. તાજેતરમાં નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રામ સિંહ, સૌગતા ભટ્ટાચાર્ય અને નાગેશ કુમારને MPCના નવા બાહ્ય સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


શું છે રેપો રેટ?
જે દર પર RBI દ્વારા બેંકોને લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી મોંઘા દરે લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરે પર વ્યાજ દરો વધશે, જેની સીધી અસર તમારી EMI પર પડશે.