Isha Ambani News: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઈશા અંબાણીના નામને Jio Financial Services (JFSL) ના ડિરેક્ટર તરીકે મંજૂરી આપી દીધી છે. આ સિવાય RBIએ JFSLના ડિરેક્ટર તરીકે અંશુમન ઠાકુર અને હિતેશ કુમાર સેઠિયાના નામને મંજૂરી આપી હતી. સેન્ટ્રલ બેંક દ્વારા 15 નવેમ્બરના રોજ નિમણૂકોને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી છ મહિના માટે માન્ય રહેશે. આ પહેલાં રિલાયન્સ રિટેલની કમાન પણ ઈશા અંબાણીના હાથમાં હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીનું ટર્નઓવર રૂ. 52.45 કરોડ
આરબીઆઈના પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કંપની છ મહિનાની નિર્ધારિત સમય મર્યાદામાં આ દરખાસ્તને લાગુ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેણે કારણો આપવા સાથે ફરીથી અરજી કરવી પડશે. કંપનીનું ટર્નઓવર રૂ. 52.45 કરોડ હતું અને માર્કેટ-કેપ રૂ. 1,44,219.55 કરોડ હતું. તાજેતરમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડી-મર્જર દ્વારા તેના નાણાકીય વ્યવસાયને અલગ કર્યો છે. કંપની ઓગસ્ટમાં શેરબજારમાં લિસ્ટ થઈ હતી.


શેર રૂ.227 પર પહોંચ્યો હતો
ગુરુવારે બંધ થયેલા ટ્રેડિંગ સેશનમાં Jio Financialનો શેર 2.75 પોઈન્ટના ઉછાળા સાથે રૂ.227 પર બંધ થયો હતો. શેરનું 52 સપ્તાહનું ટોપ લેવલ રૂ. 278.20 અને લો લેવલ રૂ. 204.65 છે. નિષ્ણાતોએ લાંબા ગાળા માટે શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે 7 જુલાઈએ મળેલી મીટિંગમાં કંપની બોર્ડ દ્વારા ઈશા અંબાણી અને અંશુમન ઠાકુરને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરવામાં આવી હતી.


કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે ડિરેક્ટર્સની નિમણૂક આરએસઆઈએલ અને આરબીઆઈના સભ્યોની મંજૂરીના આધારે કરવામાં આવશે. આ RBIની મંજૂરી મળ્યાની તારીખથી લાગુ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube