મુંબઈ: RBI Digital Currency : બજેટમાં નાણામંત્રી દ્રારા નાણાકીય વર્ષ 2022-23માં ડિજિટલ ચલણ રજૂ કરવાની જાહેરાત કર્યા પછી, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે તેના પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આરબીઆઈ ગવર્નરે ગુરુવારે કહ્યું કે કેન્દ્રીય બેંક આ દિશામાં (ડિજિટલ કરન્સી) ઉતાવળ કરવા માંગતી નથી. તેના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 ફેબ્રુઆરીના બજેટમાં કરવામાં આવ્યો હતો ઉલ્લેખ
મોનેટરી પોલિસી રિવ્યુ બાદ મીડિયા સાથે વાત કરતા દાસે કહ્યું કે સેન્ટ્રલ બેંક દ્વારા ડિજિટલ કરન્સી લાવવા માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે રિઝર્વ બેંક આગામી નાણાકીય વર્ષમાં ડિજિટલ ચલણ લાવશે.


તમામ પાસાઓની કરી રહ્યા છે સમીક્ષા
આ અંગે ગવર્નરે કહ્યું, 'અમે ડિજિટલ કરન્સી લાવવામાં ઉતાવળ કરવા માંગતા નથી. અમે તેની સાથે સંબંધિત તમામ પાસાઓની કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક સમીક્ષા કરી રહ્યા છીએ, કારણ કે તેમાં ઘણા જોખમો સામેલ છે. સૌથી મોટું જોખમ સાયબર સુરક્ષા અને બનાવટી છે.


તેમણે કહ્યું કે સીબીડીસીની એક નવી નાણાકીય પ્રોડક્ટ હોવાને કારણે તમામ કેન્દ્રીય બેંકો આ દિશામાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે. તેમણે કહ્યું, 'હું આ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવા માંગતો નથી. અમે બજેટ 2022-23માં ઉલ્લેખિત આ પાસા તરફ આગળ વધીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube