નવી દિલ્હી: કોરોના કાળમાં આ અઠવાડિયે Reserve Bank of India તમારા EMIને લઇને મોટો નિર્ણય લઇ શકે છે. સેન્ટ્રલ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક ચાર ઓગસ્ટથી શરૂ થઈ 6 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં રેપો રેટને લઇને નિર્ણય લેવામાં આવશે. ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં યોજનાર બેઠકમાં લોકોને ખબર પડશે કે લોનની ઇએમઆઇને લઇને શું નિર્ણય લેવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જુલાઈમાં GST કલેક્શનમાં ઘટાડો, વીજળી વપરાશમાં સામાન્ય વધારો


એક્સપર્ટને છે આ આશા
એસબીઆઇ રિસર્ચ (SBI Research)ના રિપોર્ટ-ઇકોરપમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારું માનવું છે કે રિઝર્વ બેંક ઓગસ્ટમાં દર ઘટાડશે નહીં. સાંસદની બેઠકમાં, હાલની પરિસ્થિતિમાં નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે અન્ય પરંપરાગત પગલાં શું લઈ શકાય છે તેની ચર્ચા કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીથી રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકોએ ગ્રાહકોને નવી લોન પર 0.72 ટકાનો ઘટાડો કરવાનો લાભ આપ્યો છે. કેટલીક મોટી બેંકોએ પણ 0.85 ટકાનો નફો સ્થાનાંતરિત કર્યો છે.


આ પણ વાંચો:- ONLINE ખરીદી શકશો ઘર! લોન્ચ થઇ એપ અને પોર્ટલ, દલાલોની ઝંઝટ ખતમ


રિપોર્ટ કહે છે કે તેનું કારણ આ છે કે રિઝર્વ બેન્કે આગળ વધીને નીતિના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માધ્યમ તરીકે પ્રવાહિતાનો ઉપયોગ કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન લોકોએ નાણાકીય સંપત્તિ રાખવાને પ્રાથમિકતા આપી છે. આનાથી દેશમાં નાણાકીય બચતને પ્રોત્સાહન મળ્યું છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં નાણાકીય બચત વધશે. આનું એક કારણ એ છે કે લોકો દ્વારા સાવચેતીના પગલા તરીકે બચત કરવાનું પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube