નવી દિલ્લી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એપ્રિલની શરૂઆતમાં જ નાણાકીય સમીક્ષા નીતિ બેઠક યોજવા જઈ રહી છે. રિટેલ ફુગાવો છ ટકાના સંતોષકારક સ્તરથી ઉપર રહેવા અને યુએસ ફેડરલ રિઝર્વ સહિત અનેક કેન્દ્રીય બેંકોના આક્રમક વલણ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ આગામી નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠક 3 એપ્રિલથી શરૂ થશે:
નાણાકીય નીતિ નક્કી કરવા માટેની સર્વોચ્ચ સંસ્થા મોનેટરી પોલિસી કમિટી (MPC)ની દ્વિમાસિક સમીક્ષા બેઠક 3જી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ ત્રણ દિવસીય બેઠક 6 એપ્રિલે પોલિસી રેટ અંગે નિર્ણય સાથે સમાપ્ત થશે.


ઘણા પાસાઓનું ધ્યાન રાખવામાં આવશે:
MPCની બેઠકમાં નાણાકીય નીતિ સંબંધિત તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પાસાઓની વ્યાપક સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. આ દરમિયાન રિટેલ ફુગાવાની સ્થિતિ અને ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈંગ્લેન્ડ જેવી મોટી સેન્ટ્રલ બેંકોના તાજેતરના પગલાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવશે.


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! ફરી મોંઘવારી ભથ્થામાં થશે વધારો, સરકારે ખોલી તિજોરી


રેપો રેટ 4 ટકાથી વધીને 6.50 ટકા થયો:
ફુગાવાને અંકુશમાં રાખવા માટે, RBIએ મે 2022 થી નીતિગત વ્યાજ દરમાં સતત વધારો કરવાનું વલણ અપનાવ્યું છે. આ દરમિયાન રેપો રેટ ચાર ટકાથી વધીને 6.50 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં મળેલી MPCની છેલ્લી બેઠકમાં રેપો રેટમાં પણ 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.


સીપીઆઈ કેટલી હતી:
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો જાન્યુઆરીમાં 6.52 ટકા અને ફેબ્રુઆરીમાં 6.44 ટકા હતો. રિટેલ ફુગાવાનું આ સ્તર આરબીઆઈ માટે નિર્ધારિત છ ટકાના આરામદાયક સ્તર કરતાં વધારે છે.


જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય:
બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું છે કે છેલ્લા બે મહિનાથી ફુગાવો છ ટકાથી ઉપર રહ્યો છે અને લિક્વિડિટી હવે લગભગ તટસ્થ છે, એવી અપેક્ષા છે કે આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. આ સાથે, આરબીઆઈ તેના વલણને તટસ્થ જાહેર કરીને એ પણ સંકેત આપી શકે છે કે દર વધારાનો તબક્કો પૂરો થઈ ગયો છે.


આ પણ વાંચોઃ 3 એપ્રિલે ખુલશે Avalon Technologies નો આઈપીઓ, રોકાણ કરતા પહેલાં જાણો જરૂરી વાતો


રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે:
ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે પંતનો પણ મત છે કે MPCની બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે. આ સાથે તેણે તેના અંતિમ દરમાં વધારાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. જો કે PwC ઇન્ડિયાના ભાગીદાર રાનેન બેનર્જી માને છે કે ભારતમાં ફુગાવા પાછળનું મુખ્ય કારણ પુરવઠાના પરિબળોને કારણે MPC આ વખતે વ્યાજ દરમાં વધારો કરવાની પ્રક્રિયાને રોકવાનો નિર્ણય પણ લઈ શકે છે.


નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રથમ બેઠક યોજાશે:
નાણાકીય વર્ષ 2023-24ની આ પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠક હશે. આરબીઆઈ સમગ્ર નાણાકીય વર્ષમાં કુલ છ એમપીસી બેઠકોનું આયોજન કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube