નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસો પહેલાં બેંકિંગ સિસ્ટમને લઈને મોટી વાત કરી હતી. નાણામંત્રીએ આપેલા સૂચનને લાગૂ કરતાં દરેક નાની-મોટી બેંકના ખાતાધારકોને ફાયદો થશે. નાણામંત્રીએ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેંકિંગ સિસ્ટમને વધુ સરળ બનાવવાની વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે લાગુ થશે નવી સિસ્ટમ?
એવામાં બેંકો વતી ગ્રાહકોને સુવિધા આપવા માટે નવી સિસ્ટમ ક્યારે અમલમાં આવશે તે પ્રશ્ન છે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા બેંકોને બેંકિંગ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે સતત કહેવામાં આવી રહ્યું છે. નાણામંત્રીએ કહ્યું હતું કે તમામ બેંકોએ ગ્રાહકોની સુવિધાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તેનાથી લોન લેનારાઓ માટે પ્રક્રિયા સરળ બનશે.

CNG Price Hike : પેટ્રોલ પહેલાં વધી ગયા સીએનજીના ભાવ, આવતી કાલથી મળશે આ ભાવે


નિયમોમાં બેદરકારી ન રાખવાની સલાહ
નાણામંત્રીએ કહ્યું હતું કે બેંકોને લોન આપવાના નિયમોમાં કોઈ ઢીલાશ ન હોવી જોઈએ. પરંતુ સિસ્ટમને સરળ બનાવવાની જરૂર છે. ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નાણાપ્રધાન વચ્ચેની બેઠકમાં સ્ટાર્ટઅપના સ્થાપક પાસેથી કોઈપણ મુશ્કેલી વિના લોન આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

Petrol-Diesel prices: આજ રાતથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો લેટેસ્ટ અપડેટ


જો આ સૂચન લાગુ કરવામાં આવશે તો મોટી બેંકો SBI, HDFC અને ICICIના ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે. મોટાભાગના ગ્રાહકો આ બેંકોમાંથી જ વધુ લોન લે છે. નાણામંત્રીએ બેંક સમુદાય માટે કેટલાક સૂચનો પણ આપ્યા અને તેમના સ્ટેન્ડ વિશે પણ વાત કરી. નાણામંત્રીએ કહ્યું, 'બેંકોએ વધુને વધુ ગ્રાહક મૈત્રીપૂર્ણ બનવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube