નવી દિલ્હી: જો તમારું એકાઉન્ટ પણ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)માં છે તો આ સમાચાર જરૂર વાંચો. જોકે એસબીઆઇ દ્વારા 1 ઓક્ટોબરથી કેટલાક સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારની અસર એસબીઆઇના દેશભરમાં ઉપલબ્ધ 32 કરોડ ખાતાધારકો પર પડશે. આ ફેરફાર હેઠળ બેંક દ્વારા મંથલી એવરેજ બેલેન્સ (MAB) મેંટેન નહી કરતાં પેનલ્ટીમાં 80 ટકા સુધી ઘટાડો આવી જશે. આ ઉપરાંત બેંક દ્વારા વધુ કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે ઓક્ટોબરથી લાગૂ થઇ જશે. ઓનલાઇન ટ્રાંજેક્શન કરનારાઓ માટે NEFT અને RTGS ટ્રાંજેક્શન પણ સસ્તુ થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલો ફેરફાર
હાલમાં તમારું ખાતું મેટ્રો સિટી અને શહેરી વિસ્તારની બ્રાંચમાં છે તો તમારે ખાતામાં મંથલી બેલેન્સ (AMB) ક્રમશ: 5,000 રૂપિયા અને 3,000 રૂપિયા રાખવું પડે છે. પરંતુ 1 ઓક્ટોબરથી મેટ્રો સિટીની બ્રાંચ અને શહેરી વિસ્તારની બ્રાંચ બંનેમાં જ એએમબી ઘટીને ત્રણ હજાર રૂપિયા થઇ જશે.
 


બીજો ફેરફાર
જો શહેરી વિસ્તારમાં રહેતો કોઇ ખાતાધારક 3000 રૂપિયાનું બેલેન્સ મેંટેન કરી શકતો નથી અને તેનું બેલેન્સ 75 ટકાથી વધુ ઓછું છે તો તેને 15 રૂપિયા પેનલ્ટી અને જીએસટી ચૂકવવો પડશે. અત્યારે 80 રૂપિયા અને જીએસટી છે. આ પ્રકારે 50 થી 75 ટકા ઓછું બેલેન્સ રાખનારને 12 રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે, જોકે અત્યારે 60 રૂપિયા અને જીએસટી હશે. 50 ટકાથી ઓછું બેલેન્સ થતાં 10 રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે. 


ત્રીજો ફેરફાર
અત્યારે એસબીઆઇમાં સેલરી એકાઉન્ટ, બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ, પીએમ જનધન યોજના ખાતા એએમબીમાં સામેલ થતા નથી. 1 ઓક્ટોબરથી નો ફ્રિલ એકાઉન્ટ, પ્રથમ કદમ તથા પ્રથમ ઉડાન એકાઉન્ટ 18 વર્ષની ઉંમરના કિશોર, પેંશનર, સીનિયર સિટિજન અને 21 વર્ષ સુધીના વિદ્યાર્થીઓના એકાઉન્ટ એએમબીથી બહાર છે. 


ચોથો ફેરફાર
એસબીઆઇના ડિજિટલ મોડથી આરટીજીએસ અને એનઇએફટીના માધ્યમથી ટ્રાંજેક્શનને 1 જુલાઇથી ફ્રી કરવામાં આવ્યું છે. પરંતુ હવે 1 ઓક્ટોબરથી બ્રાંચ પાસેથી NEFT/ RTGS કરતાં પહેલાંના મુકાબલે ઓછુ ચાર્જ લેશે. અત્યાર સુધી 10 હજાર અસુધી બ્રાંચમાંથી એનઇએફટી કરતાં 2 રૂપિયા, એક લાખથી બે લાખ સુધી એનઇએફટી પર 12 રૂપિયા, બે લાખથી વધુના એનઇએફટી પર 20 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે. આ પ્રકારે બે લાખથી 5 લાખ સુધી આરટીજીએસ પર 20 રૂપિયા અને 5 લાખથી વધુના આરટીજીસટી પર 40 રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે.  


પાંચમો ફેરફાર
એસબીઆઇના એટીએમ ચાર્જ પણ 1 ઓક્ટોબરથી બદલાઇ જશે. ગ્રાહક 6 મેટ્રો સિટીના એટીએમમાંથી 10 ફ્રી ટ્રાંજેક્શન (કેશ કાઢી) કરી શકશે. અન્ય શહેરોના એટીએમમાંથી 12 ફ્રી ટ્રાંજેક્શન કરી શકાશે. બધા શહેરોમાં સેલરી એકાઉન્ટવાળા એસબીઆઇ એટીએમ પર વધુ ટ્રાંજેક્શન પણ કરી શકો છો. 


છઠ્ઠો ફેરફાર 
સેવિંગ્સ એકાઉન્ટવાળા માટે એક નાણાકીય વર્ષમાં પહેલા6 10 ચેક ફ્રી હશે. ત્યારબાદ 10 ચેકવાળી ચેકબુક માટે 40 રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે. તો બીજી તરફ 25 ચેકવાળી ચેકબુક માટે 75 રૂપિયા અને 75 રૂપિયા અને જીએસટી બેંક દ્વારા લેવામાં આવશે. સીનિયર સિટીઝન અને સેલરી એકાઉન્ટવાળા ચેકબુક ફ્રી રહેશે.