નવી દિલ્હી: કોરોનાના કહેર પછી, સામાન્ય લોકોમાં વીમા વિશે સમજણ વધી છે. સરકાર સમાજના દરેક વર્ગ સુધી પહોંચવા માટે ખૂબ ઓછા પૈસામાં વીમાની સુવિધા પણ આપી રહી છે. આ ક્રમમાં, સરકારની યોજનાઓ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) તમને 4 લાખ રૂપિયા સુધીનું કવર આપી રહી છે. ખાસ વાત એ છે કે આ માટે તમારે માત્ર 342 રૂપિયા ચૂકવવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળશે ચાર લાખનો બમ્પર ફાયદો
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ બંને યોજનાઓ વિશે માહિતી આપી છે. SBIએ આ ટ્વિટમાં માહિતી આપી છે કે, તમારી જરૂરિયાત મુજબ વીમો લો અને ચિંતામુક્ત જીવન જીવો. ઓટો ડેબિટ સુવિધા દ્વારા બચત બેંક ખાતાના ખાતાધારકો પાસેથી પ્રીમિયમ કાપવામાં આવશે. વ્યક્તિ માત્ર એક બચત બેંક ખાતા દ્વારા યોજનામાં જોડાવા માટે પાત્ર હશે.


પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, અકસ્માતમાં વીમાધારકનું મૃત્યુ અથવા સંપૂર્ણ રીતે અક્ષમ થવા પર 2 લાખ રૂપિયાનું વળતર મળે છે. આ યોજના હેઠળ, જો વીમાધારક આંશિક અથવા કાયમી રીતે અક્ષમ થઈ જાય છે, તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે. આમાં 18થી 70 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ કવર લઈ શકે છે. આ પ્લાનનું વાર્ષિક પ્રીમિયમ પણ માત્ર 12 રૂપિયા છે.


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
નોંધનીય છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ, નોમિનીને વીમાધારકના મૃત્યુ પર 2 લાખ રૂપિયા મળે છે. 18 થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સ્કીમ માટે તમારે માત્ર રૂ. 330 વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે. તમને જણાવી દઈએ કે આ બંને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી છે. આ વીમો એક વર્ષ માટે છે.


ઈન્શ્યોરન્સ કવર 1 જૂનથી 31 મે સુધી
આ વીમા કવર 1લી જૂનથી 31મી મે સુધીનું છે. આ માટે તમારી પાસે બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. બેંક ખાતું બંધ થવાને કારણે અથવા પ્રીમિયમની કપાત સમયે ખાતામાં અપૂરતી બેલેન્સને કારણે પણ વીમો રદ થઈ શકે છે. તેથી, વીમો લેતા પહેલા, બધી માહિતી જાણી લો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube