નવી દિલ્હીઃ Stimulus Package: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરંટીની સોમવારે જાહેરાત કરી ઝછે. આ સાથે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આજે 8 રાહત ઉપાયોની જાહેરાત કરવાની વાત કહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ એક રાહત પેકેજ આપવામાં આવી રહ્યું છે. આ રાહત પેકેજમાં મેડિકલ સેક્ટરને લોન ગેરંટી આપવામાં આવશે. સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયા અને અન્ય ક્ષેત્ર માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન 7.95 ટકાના વ્યાજ પર આપવામાં આવશે. આ સિવાય અન્ય ક્ષેત્રો માટે વ્યાજદર 8.25 ટકાથી વધુ હશે નહીં. 


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને જાહેરાત કરતા કહ્યું કે, 3 વર્ષ માટે ક્રેડિટ ગેરંટી યોજના છે. નાના ધીરનારને લોનની સુવિધા આપવામાં આવશે. પહેલા 5 લાખ પર્યટકોએ વીઝા શુલ્ક આપવાનું રહેશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube