નવી દિલ્હી : ભારત સરકાર તરફથી ભાગેડુ જાહેર કરવામાં આવેલા બિઝનેસમેન વિજય માલ્યાએ લાંબા સમય પછી પોતાની ચૂપકીદી તોડી છે. તેણે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આ મામલામાં વિજય માલ્યાએ દાવો કર્યો છે કે તેમણે લોન ન ચૂકવી શકવાના સંજોગો મામલે 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ નાણાં મંત્રી અરૂણ જેટલીને પત્ર લખીને મારો પક્ષ રજૂ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકોને અબજો રુપિયામાં નવડાવીને લંડનમાં જલસા કરી રહેલા એક સમયના લિકર કિંગ વિજય માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો બળાપો કાઢ્યો કર્યો છે. કૌભાંડી માલ્યાએ લખ્યું છે કે, તે બેંકોની બાકી નીકળતી રકમની ચુકવણી કરવા પૂરી કોશિશ કરી રહ્યો છે. પણ બેંકોને ચૂનો લગાવનારા ‘પોસ્ટર બોય’ તરીકે તેને રજૂ કરવામાં આવી રહ્યો છે. અને મારું નામ આવતા જ લોકોનો ગુસ્સો ભડકી ઉઠે છે. વિજય માલ્યા હાલમાં લંડનમાં છે. તેણે કહ્યું છે કે, મેં વડાપ્રધાન નરેન્દ્રમોદી અને નાણાં પ્રધાન બંનેને 15મી એપ્રિલ 2016ના રોજ પત્ર લખ્યો હતો. અને હવે હું ચીજોને યોગ્ય સંદર્ભમાં રજૂ કરવા માટે આ પત્રોને સાર્વજનિક કરી રહ્યો છું. માલ્યાએ કહ્યું કે પીએમ કે નાણાં મંત્રી બંનેમાંથી કોઈએ તેનો જવાબ ન આપ્યો.


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...