મુંબઇ: દેવામાં ફસાયેલી સાર્વજનિક વિમાનન કંપની એર ઇન્ડીયાએ સ્પેરપાર્ટની અછતના લીધે નવ એરબસ એ-321 સહિત 19 વિમાનોનું પરિચાલન બહારથી કરવામાં આવ્યું છે. તેનાથી તેની ઉડાણો રદ થઇ રહી છે તેના લીધે મહેસૂલરૂપી ભારે નુકસાન વેઠવી પડી રહ્યું છે. કંપનીના વિમાનચાલકોના એક સંગઠને આ આરોપ લગાવ્યો છે. ઇન્ડીયન કમર્શિયલ પાયલોટ્સ એસોશિએશન (આઇસીપીએ)એ એર ઇન્ડીયાના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ સિંહ ખરોલાને પત્રમાં આ જાણકારી આપતાં કહ્યું કે તેમના ઉપરાંત વિમાનોના બેડામાં ભારે અદલા-બદલી થઇ રહી છે જેનાથી છેલ્લી ઘડીએ વિમાનો ઉપલબ્ધતા પ્રભાવિત થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંગઠને આરોપ લગાવ્યો છે કે ''સ્પેર-પાર્ટ્સની અછતના લીધે એર-ઇન્ડીયાના મોટા 23 ટકા વિમાન પરિચાલનથી બહાર છે. આ પ્રમાણે આજની કિંમતના આધારે લગભગ 3.6 અરબ ડોલર એટલે કે 25 હજાર કરોડ રૂપિયાના વિમાગ હેંગરમાં નિષ્ક્રિય ઉભા છે.'' એર ઇન્ડીયાના 20 એરબસ એ-321 વિમાનોમાંથી આઠ વિમાન સ્પેર સ્પાર્ટ્સની અછતના લીધે પરિચાલનથી બહાર છે. ચાર એ-319 પણ નિષ્ક્રિય પડ્યા છે. આ ઉપરાંત પાંચ બોઇંગ 777 અને બે બોઇંગ 787 ડ્રીમલાઇનર પણ પરિચાલનથી બહાર છે.


સંગઠનનું કહેવું છે કે એ319 વિમાન ઘરેલૂ નેટવર્ક માટે ખૂબ ઉપયોગી છે. તેમનો ઉપયોગ વધુ વ્યસ્તતાવાળા માર્ગો પર કરવામાં આવે છે. પરંતુ આ વિમાનો ઉભા રહેવાના લીધે દૈનિક આધારે ખૂબ રાજસ્વનું નુકસાન થઇ રહ્યું છે. આ પ્રકારે એ320ની સ્થિતિ હાલ સારી છે, તેમાં નવા વિમાનો લાવવામાં આવ્યા છે. બોઇંગ 777 બેડામાં પાંચ વિમાન હેંગરમાં ઉભા છે. આ પ્રકારે 787 ડ્રીમલાઇનર્સના 26 વિમાનોમાંથી બે ઉભા છે. સંગઠને આ વિમાનોના પરિચાલનની બહાર રહેવાથી મેનેજમેંટ પર સવાલ ઉભા કરતાં કહ્યું 'તેની એર ઇન્ડીયના ફાયદા પર ગંભીર અસર પડી રહી છે.


11 હજાર કરોડના પેકેજ પર વિચાર
આ દરમિયાન આર્થિક દુર્દશાનો શિકાર એર ઇન્ડીયાને નાગરિક વિમાનન મંત્રાલય 11,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ ઉપલબ્ધ કરાવવા માટે વિચાર વિમર્શ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એર ઇન્ડીયાના ખાનગીકરણમાં મળેલી નિષ્ફળતાના લીધે મંત્રાલય આ મામલે વિચાર કરી રહી છે. એર ઇન્ડીયાના નાણાકીય સંકટ સતત બની રહ્યું છે. સૂત્રોના અનુસાર નાગરિક વિમાનન એર ઇન્ડીયાને રાહત પેકેજ આપવા પર વિચાર કરી રહી છે જેથી વિમાનન કંપનીને તેની ઉંચી પડતરના કાર્યશીલ પૂંજી લોનમાંથી રાહત મળી શકે. હજુ પણ આ પ્રસ્તાવ શરૂઆતી તબક્કામાં છે. 


આ સંબંધમાં નાગર વિમાનન સચિવ આર. એન. ચૌબેને મોકલવામાં આવેલા પ્રશ્નો જવાબ મળ્યા નહી. તો બીજી તરફ એર ઇન્ડીયાના પ્રવક્તાએ કહ્યું કે 'આ મામલો નાગર વિમાનન મંત્રાલય હેઠળ આવે છે. અમારે તેમાં કોઇ પ્રતિક્રિયા આપવી ન જોઇએ.'' સૂત્રોના અનુસાર પ્રસ્તાવ જોકે હજુ શરૂઆતી સ્તર પર છે, પરંતુ તેના હેઠળ એર ઇન્ડીયાને 11,000 કરોડ રૂપિયાનું પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.  


એક સૂત્રે કહ્યું કે ''એર ઇન્ડીયાના ખાતાને સ્વચ્છ બનાવવા માટે એરલાઇનને રોકાણ માટે આકર્ષક બનાવવામાં આવશે. સરકારે જ્યારે પણ તેની રણનીતિક વેચાણ માટે આગળ આવશે ત્યારે આ રોકાણકારો માટે આકર્ષક હશે.'' એર ઇન્ડીયાએ ગત વર્ષે યુપીએ સરકારે 2012માં  રાહત પેકેજ આપ્યું હતું. તેના બળ પર હજુ સુધી ઉડાન ભરી રહી છે. માર્ચ 2017ની સમાપ્તિ પર આ રાષ્ટ્રીય વિમાનન કંપની પર 48,000 કરોડ રૂપિયાનું દેવું હતું. ગત મહિને સરકારે એરલાઇનમાં 980 રૂપિયાની ઇક્વિટી પૂંજા નાખવા સંબંધી અનુપૂરક અનુદાન માંગોને સંસદની મંજૂરી માટે રજૂ કરી.