Happy Birthday Chiranjeevi: ક્યારેક તેમને બિગર ધેન બચન કહેવામાં આવ્યા, તો કોઈ વખત તેમનામાં રજનીકાંત અને કમલ હસન બને હાજર હોવાનું કહેવામાં આવ્યું. વર્ષ 1992માં તેમણે 1.25 કરોડ ફિસ ચાર્જ કરીને તે મની મશીન બની ગયા. જે 1992થી 2000 સુધી હાઈએસ્ટ ટેક્સપેયર પણ રહી ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોનિડેલ્લા શિવા શંકરા વારા પ્રસાદનો જન્મ થયો 22 ઓગસ્ટ 1955ના રોજ, જેમને આપણે ચિરંજીવીના નામથી જાણીએ છે. તેમના ફેન્સ તેમને ચિરુ નામથી પણ બોલાવે છે. ચિરંજીવીના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. જેના કારણે તેમની ઘણી વખત બદલી થતી રહેતી હતી. ચિરંજીવીએ મોટાભાગનું બાળપણ પોતાના દાદા-દાદી સાથે જ વિતાવ્યું છે. તેમનું ભણતર નિદાદવોલું, ગુરાજલા, બપતલા, પુનુરુ અને મોઘલથુરમાં થયું હતું. તે પોતાના સ્કૂલિંગ દિવસોમાં જ NCCના કેડેટ બની ગયા હતા. ચિરંજીવીએ નરસાપુરની શ્રી વાય એન કોલેજમાંથી કોમર્સની ડિગ્રી મેળવી હતી. જે બાદ તેઓ ચેન્નઈ જતા રહ્યા. જ્યાં તેમણે મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાંથી તેમણે એક્ટિંગ શીખી. એવું જાણવા મળે છે કે, ચિરંજીવીનો સમગ્ર પરિવાર અંજની દેવીની પૂજા કરતો હતો. એટલે જ તેમનું નામ ચિરંજીવી રાખવામાં આવ્યું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube