મુંબઈ : કંગના રનૌત થોડા દિવસ પહેલાં રણબીર કપૂર, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પર બહુ ભડકી હતી. તેણે ત્રણેય એક્ટર્સના દેશના રાજકારણ માટે ગેરજવાબદાર અભિગમની બહુ ટીકા કરી હતી. હવે કંગનાની આ કમેન્ટ પર આલિયા ભટ્ટનું રિએક્શન આવ્યું છે. હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ કહ્યું છે કે ''મારી અંદર કંગનાની જેમ બેધડક નિવેદન આપવાની ક્ષમતા નથી. જોકે કંગનાની નીડરતા માટે મને માન છે. તે એક રીતે સાચી પણ છે. કંગના ખરેખર સારું બોલે છે પણ હું મારા વિચારો મારા સુધી મર્યાદિત રાખવામાં જ માનું છું.''


બાપને પણ ક્યારેય નથી મળી એવી જબરદસ્ત ઓફર મળી દીકરાને! પણ, ધડ દઈને પાડી દીધી ના


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયાની કરિયરની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં તેની ગલી બોય રિલીઝ થઈ હતી જેમાં તેની એક્ટિંગના ભારે વખાણ થયા હતા. આ વર્ષે આલિયાની બ્રહ્માસ્ત્ર અને કલંક જેવી બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...