નવી દિલ્લીઃ બોલિવુડના મિ.પર્ફેકનીસ્ટ ભલે ફિલ્મોમાં સફળ રહ્યા પરંતું અંગત જીવનમાં તેઓ લગ્નજીવનને ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે. 15 વર્ષ બાદ આમીર ખાન અને કિરણ રાવ પરસ્પર સહમતિ સાથે અલગ થયા છે. આમીરે અને કિરણે પોતાના અલગ થવાની જાહેરાત સંયુકત રીતે સ્ટેટમેન્ટ બહાર પાડીને કરી. કિરણ રાવ સાથે આમીર ખાનના બીજા લગ્ન હતા. આમીરે વર્ષ 2005માં કિરણ સાથે લગ્ન કર્યા હતા. આમીર અને કિરણને આઝાદ નામનો પુત્ર પણ છે. અહીં એવા બોલિવુડના હાઈ પ્રોફાઈલ કપલની વાત કરીએ જેમના અલગ થવાના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. અરબાઝ ખાન- મલાઈકા અરોરા ખાનઃ
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાનના ડિવોર્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ ચર્ચામાં રહેનારા છૂટાછેડામાંથી એક છે, બંનેએ પરસ્પર સહમતિથી અને રાજીખુશીથી 17 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યા હતા. બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા અને 2002માં પુત્રને જન્મ આપ્યો હતો.



2. ફરહાન અખ્તર- અધુના ભાબાનીઃ
બોલિવુડના ડિરેકટર ફરહાન અખ્તર અને હેર સ્ટાઈલિસ્ટ અધુના બાભાની વચ્ચે વર્ષ 1999માં અફેર શરૂ થયુ હતું. વર્ષ 2000માં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ફરહાનને 'દિલ ચાહતા હૈ' ફિલ્મ મળી. બંનેને બે દીકરીઓ છે. બંનેનું લગ્નજીવન ખૂબ સારુ ચાલ્યું પરંતું કમનસીબે તૂટી ગયું. ફરહાનની વધતી લોકપ્રિયતા અને કો સ્ટાર સાથેની નજીકતાના કારણે લગ્ન તૂટ્યા હોવાની ચર્ચા થઈ હતી. ફરહાન હાલ અભિનેત્રી શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે.



3.ઋતિક રોશન- સુઝેન ખાનઃ
 ઋતિક રોશન અને સુઝેન ખાનના જ્યારે ડિવોર્સ લીધા ત્યારે ન માત્ર તેમના ફેન્સ પરંતું બોલિવુડ ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 'બંને મેડ ફોર ઈચ અધર' કપલ કહેવાતા હતા. 14 વર્ષ સાથે રહ્યા બાદ બંનેએ ડિવોર્સ લીધા. બંનેએ વર્ષ 2015માં છૂટાછેડા લીધા હતા. ઋતિક રોશન અને સુઝેન ખાનના ડિવોર્સ બોલિવુડના સૌથી મોંઘા ડિવોર્સ છે. ડિવોર્સ બાદ પણ બંને વચ્ચે મિત્રતા છે, અને તેઓ પોતાના સંતાનો અને પરિવાર સાથે અવારનવાર જોવા મળતા હોય છે.



 
4. અનુરાગ કશ્યપ- કલ્કી કોચલીન:
ફિલ્મ ડિરેકટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી કલ્કી કોચલીન વચ્ચે મેરેજ લાંબા સમય સુધી ટક્યા નહોંતા. વર્ષ 2011માં લગ્ન કર્યા અને 2013માં તેઓ અલગ થઈ ગયા હતા. અનુરાગ કશ્યપ દેવ-ડી ફિલ્મની શુટિંગમાં કલકીના પ્રેમમાં પડ્યો હતો. અનુરાગ કશ્યપના પણ આ બીજા લગ્ન હતા. અનુરાગ અને કલકી વચ્ચે 20 વર્ષનો ફરક છે.



5. કરિશમા કપૂર- સંજય કપૂર:
અભિનેત્રી કરિશમા કપૂરે વર્ષ 2003માં દિલ્લી બેઝ્ડ બિઝનેસમેન સંજય કપૂર સાથે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. બંનેનું લગ્નજીવન ન ટક્યું અને વર્ષ 2014માં બંનેએ ડિવોર્સ લીધા. બાળકોની કસ્ટડી હાલ કરિશમા કપૂર પાસે છે. કહેવાય છે કે કરિશમા કપૂરે 7 કરોડ રૂપિયાનું વળતર માગ્યુ હતું.


Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!


Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube