નવી દિલ્હી : ફિલ્મમેકર સંદીપ વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કબીર સિંહ'માં કિયારા અડવાણી અને શાહિદ કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મ આ વર્ષે 21 જૂને રિલીઝ થવાની છે. ‘અર્જુન રેડ્ડી’ની રિમેકમાં શાહિદ કપૂર એક્ટર વિજય દેવરકોંડાનું પાત્ર ભજવી રહ્યો છે, જેમાં તે એક દારૂડિયો ડોક્ટર બનશે. જોકે, હાલમાં આ ફિલ્મના સેટ પર આકસ્મિક મૃત્યુની ઘટના નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'ના આ સંવાદો તમને ખેંચીને લઈ જશે થિયેટર સુધી


મળતી માહિતી પ્રમાણે મસૂરીમાં એક્ટર શાહિદ કપૂરની ફિલ્મના શૂટિંગ દરમિયાન મુઝફ્ફરનગરના એક 30 વર્ષના યુવકનું મોત થઈ ગયું. દેહરાદૂનના પ્રેમનગર વિસ્તારમાં એક જનરેટર કંપની માટે કામ કરનારા યુવકનું ગુરુવારે મસૂરીની એક ફાઈવ સ્ટાર હોટલમાં નિધન થઈ ગયું. આ જગ્યા પર જ શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું શૂટિંગ થઈ રહ્યું છે. જે વ્યક્તિનું મોત થયું છે તે શૂટિંગમાં ઉપયોગ કરાનારા જનરેટરની તપાસ અને ચલાવવાની જવાબદારી સંભાળતો હતો. મામલાની તપાસ કરનારા પોલીસે જણાવ્યું કે, યુવક જનરેટરમાં ઓઈલ ચેક કરી રહ્યા હતો, આ દરમિયાન તેનું મફલર જનરેટરના પંખામાં ફલાઈ ગયું અને તેને અંદર ખેંચી લીધો. તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરી દેવાયો.


યુવકના પરિવારના સદસ્યોને આ મામલે જાણ કરવામાં આવી છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે હોટલના અધિકારીઓએ આવી કોઈપણ પ્રકારની ઘટના પોતાના પરિસરમાં બની હોવાથી ઈનકાર કરી દીધો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...