નવી દિલ્હીઃ અક્ષય કુમાર બોલીવુડના તે ગણનાપાત્ર સ્ટાર્સમાથી એક છે જે જરૂર પડવા પર હંમેશા લોકોની મદદ માટે આગળ આવે છે. જ્યાં થોડા સમય પહેલા તેણે આસામના પૂર પીડિતોની મદદ માટે 2 કરોડ રૂપિયા દાન કર્યો, તો હવે તેણે બિહારના પૂર પીડિતો માટે પણ કંઇક આવું કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષયે હાલમાં આસામ સિવાય બિહારમાં આવેલા પૂર દરમિયાન પ્રભાવિત થયેલા પરિવારોની મદદ માટે 1 કરોડ રૂપિયા દાન કર્યાં છે. આ રકમથી આશરે 25 પરિવારોની મદદ કરવામાં આવશે. અક્ષય છઠ પૂજાના અવસર પર આ પરિવારોને 4-4 લાખ રૂપિયા આપશે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક આપત્તીઓ આપણને તે અનુભવ કરાવે છે કે તેની આગળ આપણે કશું નથી. તેમણે આગળ કહ્યું કે, જે મદદ થાય તે કરવી જોઈએ. જે લોકો પોતાનું બધુ ગુમાવી ચુક્યા છે તેની મદદ કરવાથી મોટુ બીજુ કંઇ ન હોઈ શકે. આ મદદના માધ્યમથી તે લોકો પોતાની જિંદગી બીજીવાર શરૂ કરી શકે છે. 


બિહારમાં આવેલા પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા હતા. તેની રોજગારી છિનવાઇ ગઈ, બેઘર થઈ ગયા. એક સમયનું ભોજન મળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. તેની મદદ માટે સીએમ નીતીશ કુમારે જ્યાં 136.58 કરોડની સહાયતા રકમ આવી, તો કેન્દ્ર સરકારે પણ પૂર પીડિતોની મદદ માટે યોગદાન આપ્યું હતું. 

VIDEO: દિવાળી પાર્ટીમાં ગુરૂ રંધાવા સાથે આ બોલ્ડ અભિનેત્રીએ લગાવ્યાં જબરદસ્ત ઠુમકા


અક્ષયની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં તેની ફિલ્મ હાઉસફુલ 4 રિલીઝ થઈ છે. આ ફિલ્મએ પ્રથમ દિવસે કુલ 18.50 કરોડ, બીજા દિવસે 18 કરોડસ ત્રીજા દિવસે 14.25 કરોડ રૂપિયા કમાયા હતા. તો ચોથા દિવસે ફિલ્મએ લગભગ 34.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પ્રમાણે ફિલ્મ ચાર દિવસમાં કુલ 85 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે.