નવી દિલ્હી: દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજે (Prakash Raj) મંગળવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના ફેન્સને તેના તાજેતરના નાના અકસ્માત વિશે અપડેટ કર્યું છે. પ્રકાશ રાજે ફેન્સને જાણ કરી છે કે તેને નાનું ફ્રેક્ચર થયું છે અને તેમને સર્જરી માટે હૈદરાબાદ લઈ જવામાં આવ્યા છે.


'હું સ્વસ્થ થઈ જઈશ'
અભિનેતા પ્રકાશ રાજે (Prakash Raj) ટ્વિટર પર લખ્યું, 'એક નાનકડો ફોલ... એક નાનકડું ફેક્ચર... એક સર્જરી માટે મારા મિત્ર ડો.ગુરુવરેડ્ડીના સલામત હાથમાં હૈદરાબાદ જવાનું... હું સ્વસ્થ થઈ જઇશ, ચિંતા કરવાની કોઈ વાત નથી... મને તમારા વિચારોમાં રાખો... '


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube