નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ રવિવારે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આપઘાત કર્યો છે. આ સમાચાર આવવાની સાથે બોલીવુડમાં શોકનો માહોલ છવાયો છે. ફેન્સને પણ વિશ્વાસ આવી રહ્યો નથી કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. ટ્વીટર પર લોકો સંવેદના વ્યક્ત કરી રહ્યાં છે. જુઓ કેટલાક ટ્વીટ