Adah Sharma Bought Sushant Singh Rajput House:  અદા શર્મા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે પરંતુ તેને સૌથી વધુ પ્રસિદ્ધિ થોડા મહિના પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરીથી મળી હતી. હાલમાં બોલીવુડ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે અને તેનું કારણ તેનું નવું ઘર છે. ફિલ્મ હિટ થતાંની સાથે જ અદા શર્માએ એક આલીશાન ઘર ખરીદ્યું છે અને આ એ જ ઘર છે જેમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત રહેતો હતો. વર્ષ 2020 માં સુશાંત આ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારથી દરેક આ ઘર ખરીદવાનું અથવા રહેવાનું ટાળતા હતા, પરંતુ હવે સમાચાર છે કે અદાએ તેને ખરીદ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાહકનો વિવાદ! અમે અદાણીને 3900 કરોડ વધારે ચૂકવ્યા, સરકારે કબૂલ્યું: એ અમે સરભર કરીશુ


સુશાંત ભાડે રહેતો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘર સુશાંત સિંહ રાજપૂતે ખરીદ્યું ન હતું પરંતુ તેણે સી ફેસિંગ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. 14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂત આ એપાર્ટમેન્ટના તેના બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે સુશાંતે આત્મહત્યા કરી છે, પરંતુ પછી આ મામલે જુદી જુદી થિયરીઓ સામે આવી. સુશાંત આ ઘર માટે દર મહિને 4.5 લાખ રૂપિયા ભાડા તરીકે આપતો હતો.


આદિત્ય L1: ચંદા મામા પછી હવે સૂરજ ચાચાનો વારો, આદિત્ય-L1ની લોન્ચ તારીખ આવી ગઈ


તેના મૃત્યુ બાદ લોકો આ ફ્લેટ લેતા બચી રહ્યા હતા પરંતુ બાદમાં કહેવાય છે કે તેની કિંમત વધી ગઈ હતી અને ઘણા લોકો તેને લેવામાં રસ દાખવતા હતા પરંતુ આખરે અદાએ તેને ખરીદી લીધો છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


ઉલટી ગંગા! સરકારે અદાણીને 3900 કરોડ વધુ ચૂકવ્યા, કોંગ્રેસે કહ્યું, ED-CBI કરે તપાસ


અદા કમાન્ડો, 1920 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી
અદા શર્માએ વર્ષ 2008માં ફિલ્મ 1920થી ડેબ્યૂ કર્યું હતું. આ એક હોરર ફિલ્મ હતી જેમાં તેનું પાત્ર આજે પણ ખૂબ યાદ છે. અદાએ આ ફિલ્મમાં લોકોને ખૂબ ડરાવ્યા હતા. આ સિવાય અદા હંસી તો ફસી, કમાન્ડો 2, કમાન્ડો 3 જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળી હતી. આ સિવાય તે સાઉથમાં પણ ઘણું કામ કરી રહી છે. પરંતુ થોડા સમય પહેલા ધ કેરલા સ્ટોરી રિલીઝ થવાથી તેને ખરી ખ્યાતિ મળી હતી.


વરસાદને લઈ અંબાલાલ પણ મૂંઝવણમાં! અહીં બની રહ્યા છે વાવાઝોડા, સપ્ટે.માં પડશે ગરમી