નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ એક ટોક શોમાં ઓડિશન દરમિયાન તેને થયેલા વિચિત્ર અનુભવ વિશે માહિતી આપી છે. એક ટોક શો દરમિયાન અદિતીએ માહિતી આપી છે કે ''ફિલ્મ યે સાલી જિંદગીના ઓડિશન દરમિયાન મારે અજાણી વ્યક્તિ સાથે અંતરંગ દ્રશ્યો આપવા પડ્યા હતા. આ વ્યક્તિ હતી અરૂણોદય સિંહ. એ સમયે મને લાગ્યું હતું કે આ બધું શું ચાલી રહ્યું છે. જોકે અરૂણોદય સિંહ બહુ વિનમ્ર હતા.''


આ ટોક શોમાં અદિતીએ પોતાના જીવનના અનેક પાસાઓ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે મણિ રત્ન્મની બોમ્બેએ તેને  હિરોઇન બનવાની પ્રેરણા આપી હતી. બોમ્બેનું ગીત કહના હી ક્યા...મારા જીવન માટે ટર્નિગ પોઇન્ટ જેવું સાબિત થયું હતું. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...