Aishwarya Rai Bachchan: બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ફિલ્મી સફર અને ઇન્ટીમેટ સીન અને લઈને ખુલીને વાત કરી હતી. એશ્વર્યા રાય બચ્ચનના ઇન્ટીમેટ સીનને લઈને સૌથી પહેલા હોબાળો ત્યારે મચ્યો હતો જ્યારે તેણે ફિલ્મ ધુમ 2 માં ઋત્વિક રોશન સાથે કિસિંગ સીન કર્યા હતા. ત્યાર પછી ફિલ્મ એ દિલ હે મુશ્કિલમાં રણબીર કપૂર સાથે પણ તેણે એન્ટીમેટ સીન કર્યા હતા. આ અંગે તાજેતરના ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાય બચ્ચને કેટલાક ખુલાસા કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Leaked Video: બોલીવુડના 7 સૌથી ચર્ચિત MMS, અભિનેત્રીઓ જોવા મળી આપત્તિજનક સ્થિતિમાં


એશ્વર્યાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કેવી રીતે ઇન્ટિમેન્ટ સીન તેના જીવનને પ્રભાવિત કરે છે. તેને જણાવ્યું હતું કે જ્યારે પહેલી વખત ધૂમ 2 માં ઋત્વિક રોશન સાથે કિસિંગ સીન કરવો પડ્યો હતો ત્યારે તેને ખબર હતી કે આ સીનને લઈને વિવાદ થઈ શકે છે. આ સીનને લઈને તેને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. એશ્વર્યાને ખબર હતી કે આ સીન તેના માટે સંવેદનશીલ સાબિત થઈ શકે છે. પરંતુ ફિલ્મમાં તેનું જે પાત્ર હતું અને ફિલ્મની સ્ટોરીની જરૂરિયાત હતી તેને ધ્યાનમાં રાખીને તેણે ઇન્ટીમેટ સીન કરવાની હા કહી હતી. 


આ પણ વાંચો: Nagarjuna Called Sobhita Hot: સસરાએ જેને કહી હતી 'Hot'એની સાથે દીકરાની થઈ સગાઈ..


ઇન્ટીમેટ સીનને લઈને પરિવાર અને સમાજનું રિએક્શન કેવું હતું તે અંગે એશ્વર્યાએ જણાવ્યું હતું કે, ભારતમાં ફિલ્મી કલાકારોના જીવનમાં પરિવાર અને સમાજનો સૌથી વધુ પ્રભાવ હોય છે. તેણે કહ્યું હતું કે લોકોની નજર હંમેશા તેમના પર હોય છે. તેથી તેણે પરિવાર અને દર્શકોની લાગણીનું હંમેશા ધ્યાન રાખવું પડે છે. કોઈપણ ઇન્ટીમેટ સીન કરતા પહેલા તે હંમેશા પરિવાર અને દર્શકો વિશે વિચારે છે.


આ પણ વાંચો: સાઈબર થ્રિલર ફિલ્મ CTRL માં જોવા મળશે અનન્યા પાંડે, આ તારીખથી OTT પર થશે સ્ટ્રીમ


એશ્વર્યા રાયે આગળ જણાવ્યું હતું કે એક કલાકાર તરીકે પણ તેમની જવાબદારી હોય છે તેથી તેના પાત્રને ન્યાય કરવા માટે કેટલીક વખત મુશ્કેલ કામ પણ કરવા પડે છે. કલાકાર તરીકે કલા પ્રત્યેની ઈમાનદારી જાળવી રાખવા માટે ઇન્ટીમેટ સીન પણ કરવા પડે છે. એશ્વર્યાએ એ વાત પણ સ્વીકારી કે ઇન્ટિમેન્ટ સીન કરવાની લઈને તેને આલોચનાનો સામનો પણ કરવો પડ્યો હતો.