નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgn)ના લોકપ્રિય પાત્ર ડીસીપી બાજીરાવ સિંઘમની ત્રીજી ફિલ્મ માટે તેના પ્રશંસકો તલપાપડ થઈને રાહ જોઈ રહ્યા છે. હાલમાં અજયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે સિંઘમ 3 ચોક્કસ બનવાની છે, પણ એ પહેલાં ગોલમાલની અને એના પછી સિંઘમની સિક્વલ કરીશું. તમે જ્યારે સૂર્યવંશી જોશો ત્યારે તમને આ સવાલનો જવાબ મળી જશે. હું તો સૂર્યવંશીમાં પણ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીકરી હોવાનો દાવો કરનાર મહિલાને અનુરાધા પૌંડવાલે બરાબરનું ચોપડાવી દીધું


સૂર્યવંશી કોપ ડ્રામા છે. ડિરેક્ટર રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમાર મુખ્ય રોલ ભજવી રહ્યો છે અને એ માર્ચ મહિનામાં રિલીઝ થશે. બોલિવૂડ સ્ટાર અજય દેવગન હાલ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આ ફિલ્મમાં તેની પત્ની કાજોલ પણ ઘણા વર્ષો પછી સાથે જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન ‘તાનાજી’નો રોલ પ્લે કરી રહ્યો છે. જ્યારે કાજોલ ‘તાનાજી’ના પત્ની સાવિત્રી બાઈની ભૂમિકામાં નજરે આવશે. ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મુખ્ય ભુમિકામાં છે. તે ઉદય ભાનની ભૂમિકામાં છે. આ ફિલ્મની કહાની 17મી સદીના આધારે વીર યોદ્ધાની ગાથા વ્યક્ત કરે છે. અજય દેવગને સ્પષ્ટતા કરી છે કે તેમણે અનસંગ વોરિયર્સ નામાની સિરિઝની શરૂઆત કરી છે જેના મારફતે ભારતના દરેક પ્રાંતના બહાદુર દીકરાઓની સંઘર્ષગાથા જણાવવામાં આવશે. 


હાર્દિક પંડ્યાની સગાઈ પર આ હોટ અભિનેત્રીએ આપ્યું એવું રિએક્શન..આવી ગઈ ચર્ચામાં

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કેફ (Katrina Kaif) સ્ટારર ફિલ્મ ''સૂર્યવંશી'' (Sooryavanshi)'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અક્ષય અને કેટરીનાની સાથે આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને સિકંદર ખેર પણ જોવા મળશે. ફિલ્મના નિર્માતા કરણ જોહર અને રોહિત શેટ્ટી છે. આ ફિલ્મ 27 માર્ચ, 2020માં રિલીઝ થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક