નવી દિલ્હીઃ બોલીવુડના શાનદાર અભિનેતાઓમાં સામેલ ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ઋુષિ કપૂર આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેમની તબીયત ખરાબ થઈ ગઈ હતી અને થોડા સમય બાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. તેવામાં તેમના પાત્રને બાદમાં પરેશ રાવલે ભજવ્યુ છે. સિને લવર્સ અને ઋષિ કપૂરના ફેન્સ માટે આ ફિલ્મ ખાસ છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થનારી શર્માજી નમકીનનું ટ્રેલર આવી ગયું છે, જે ખરેખર શાનદાર છે. આ ટ્રેલરને જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ પાત્રમાં જોવા મળશે ઋુષિ અને પરેશ
એમેઝોન પ્રાઇમ વીડિયોએ શર્માજી નમકીનનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ પારિવારિક મનોરંજનમાં જૂહી ચાવલા, સુહૈલ નય્યર, તારૂક રૈના, સતીષ કૌશિક, શીબા ચડ્ઢા અને ઈશા તલવારની સાથે સ્વર્ગીય ઋષિ કપૂર અને પરેશ રાવલ સહિત ઘણા સિતારા જોવા મળી રહ્યાં છે. હિન્દી સિનેમામાં પ્રથમવાર શર્માજી નમકીનમાં બે દિગ્ગજ અભિનેતા ઋુષિ કપૂર અને પરેશ રાવલ એક જ ભૂમિકા ભજવી રહ્યા છે. મસાલેદાર અને પ્રેમથી ભરપૂર આ ટ્રેલર આત્મ-સાક્ષાત્કાર અને એક સેવાનિવૃત્ત વિધુરની શોધની એક વિશ્વાસપાત્ર અને દિલને સ્પર્શતિ કહાની દેખાડી છે, જે ખુદને વ્યસ્ત રાખવા અને એકલતાથી દૂર રહેવા માટે કોઈપણ નાના-મોટા કામ કરી લેતા હોય છે. 


ગુજરાતના રમખાણો પર Gujarat Files ફિલ્મ બનાવવા માંગતા ડાયરેક્ટરે પીએમ મોદીને પૂછ્યો સવાલ


શું છે ફિલ્મની કહાની
મહત્વનું છે કે ફિલ્મની કહાનીની વાત કરીએ તો બીજી શર્મા 58 વર્ષીય વિધુર છે, જીવન નામક આ સાંસારિક દિનચર્યામાં લાખો ચહેરા વિહીન લોકોમાંથી એક છે. જે કંપની માટે તે કામ કરી રહ્યા હતા, એક દિવસ તે તેને નોકરીમાંથી કાઢી મુકે છે. જિંદગી થોભી જાય છે. શર્મા-રિટાયરમેન્ટ નામના શૈતાનને પહોંચી વળવા સંઘર્ષ કરે છે. તે પ્રાસંગિક બન્યા રહેવાની રીત શોધે છે, પરંતુ તે હંમેશા પોતાના પુત્રોના રસ્તામાં આવે છે. એક દિવસ, તે ખુશીથી રહેતી મહિલાઓના ગ્રુપના સંપર્કમાં આવે છે. કિટ્ટીની મહિલાઓ શર્માજીની ભાવનાઓ ફરીથી જગાવે છે, ભોજન પકાવવાનો જુસ્સો અને આત્મવિશ્વાસ તેમને એક નવી જિંદગી શોધવામાં મદદ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube