નવી દિલ્હીઃ અરબાઝ ખાનના ટૉક શો PINCHમાં અનિલ કપૂરે જણાવ્યો પોતાના જવાનીનો રાઝ. અનેક વાત અંગે કર્યો ખુલ્લાસો. અનિલ કપૂર બોલીવૂડના એવા એક્ટર છે, જેમને જોતા તમને લાગશે કે સમય જતા તેમની ઉંમર વધતી નથી. પણ ઘટી રહી છે. અનિલ કપૂરની જવાનીને લઈને વર્ષોથી ચર્ચાઓ ચાલી રહી છે. તેમના ફેન્સ તેમના આ સિક્રેટ અંગે જાણવા માંગે છે. ત્યારે, હાલમાં જ અરબાઝ ખાનના ટૉક શો PINCHમાં અનિલ કપૂરે જણાવ્યો પોતાના જવાનીનો રાઝ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ કપૂર પીયે છે સાપનું લોહી?
આ શોમાં અનિલ કપૂરે પોતાની લાઈફ સાથે જોડાયેલા અનેક મજેદાર સાવલોના જવાબ આપ્યા છે. અનિલ કપૂરે એ લોકોને પણ જવાબ આપ્યો છે, જે કહે છે કે તેઓ યંગ દેખાવા માટે હમેશા પ્લાસ્ટિક સર્જન સાથે રહે છે અને સાપનું લોહી પીવે છે.

આ શોના એક સેગમેન્ટમાં અરબાઝે અનિલ કપૂરને અમુક લોકોના રેકોર્ડડ વીડિયો બતાવ્યા. આ વીડિયોમાં લોકો અનિલ કપૂરના લુક અંગે અલગ-અલગ વાતો કરી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે, અનિલ કપૂરને બ્રહ્માજીનું વરદાન છે. તો બીજા વ્યક્તિએ કહ્યું કે, અનિલ પોતાના પ્લાસ્ટિક સર્જન સાથે જ રહે છે. તો અન્ય એક વ્યક્તિએ કિધું કે, અનિલ યંગ દેખાવા માટે સાંપનું લોહી પીવે છે.  

આ જોતા અનિલ કપૂરે મઝાકમાં અરબાઝને કિધું કે, શું હકીકતમાં આ લોકોએ પોતાની રીતે વાત કહી છે. કે પછી પૈસા આપીને લોકો પાસે બોલાવવામાં આવ્યું છે. અનિલ કપૂરે વધુમાં કહ્યું, કહેવામાં આવે છે, ઉપર વાળાએ ઘણું બધું આપ્યું છે. તેવું જ મારી સાથે છે, ઉપર વાળાની દુવા છે કે, લાઈફમાં પર્સનલી, પ્રોફેશનલી, ફાઈનેન્સયલી એટલું બધુ આપ્યું છે કે હું ખુશ છું.