નવી દિલ્હીઃ ટીવીની દુનિયાના લોકપ્રિય શો 'અનુપમા ' (anupama) આ દિવસોમાં દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. ડાયરેક્ટર રોમેશ કાલરા નિર્દેશિત આ શો પોતાના ટ્વિસ્ટ અને ટર્નથી લાંબા સમયથી ટીઆરપી ચાર્ટ પર રાજ કરી રહ્યો છે. હાલમાં આ શોટમાં એક્ટર અપૂર્વ અગ્નિહોત્રીની એન્ટ્રી થઈ છે. આ વચ્ચે શો સંબંધિત વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે, તે જાણ્યા બાદ શોના દર્શક ખુશીથી ઝુમી ઉઠશે. 


મનોરંજન ન્યૂઝ વેબસાઇટ બોલીવુડલાઇફની ખબર અનુસાર, અનુપમાના પ્રોડ્યૂસર રાજન કોરોના વાયરસને કારણે મુંબઈમાં થયેલા લૉકડાઉનને જોતા આ શોનું શૂટિંગ ગુજરાતમાં શેડ્યૂલ કરવાના છે. રિપોર્ટ અનુસાર, તેના આગામી એપિશોડનું શૂટિંગ ગુજરાતમાં થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube