નવી દિલ્હી: જેની કાગડોળે રાહ જોવાતી હતી તે નવા પાત્ર અનુજ કાપડિયાની અનુપમા સિરિયલમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. તેની એન્ટ્રી અને પાત્રને દર્શક તરફથી ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો છે. દર્શકોને અનુજ કાપડિયાનું પાત્ર પસંદ આવી રહ્યું છે. જો કે આ બધામાં હવે એક આઘાતજનક ટ્વિસ્ટ જોવા મળવાનો છે. જો કે આ ટ્વિસ્ટ કદાચ અનુજને અનુપમાની નજીક લાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નંદિની સમરને દગો કરશે?
આવનારા એપિસોડમાં જોવા મળશે કે અનુપમા જન્માષ્ટમીના અવસરે શાહ  હાઉસમાં તમામ કપલ્સને રાધા-કૃષ્ણ બનવાનું કહેશે. વનરાજ આમ કરવાની ના પાડી દેશે. જ્યારે કાવ્યા તે માટે ખુબ એક્સાઈટેડ થઈ જશે. સમર કેસર લેવા જશે અને તેને રસ્તામાં રોહન મળી જશે. રોહન સમરને પોતાના અને નંદિનીના સંબંધ અંગે પોતાના એંગલથી વાત જણાવશે. આ સાથે જ કહેશે કે તે એક હેતુથી પાછો ફર્યો છે. સમર તેની વાત સાંભળીને ઈન્સિક્યોર બની જશે અને વિચારશે કે નંદિનીએ તેની સાથે દગો કર્યો છે. 


અનુપમા-અનુજનો સંબંધ શાહ પરિવાર સામે આવશે
બીજી બાજુ નંદિની સમરની ચિંતા કરશે અને અનુપમા તેને સમજાવશે કે તે પરેશાન ન થાય. અનુજ અને જીકે પણ સારી જન્માષ્ટમી ઉજવશે અને બંને કૃષ્ણ બનશે. પછી પૂજા પણ કરશે. પાખી અનુપમા અને તેના મિત્રોની તસવીરો ટીવી પર બા-બાપુજીને દેખાડશે. આ બધા વચ્ચે કાવ્યા અનુપમા અને અનુજના સંબંધ પર સવાલ ઊભા કરશે., ત્યારે કિંજલ આગળ આવીને અનુપમાને સપોર્ટ કરશે અને માહોલ શાંત કરાવશે. પાખી કહેશે કે અનુજ તો એ જ છે જેને અનુપમા પર  ક્રશ હતો. 


સમરને ઘરે આવવાનું કહેશે અનુપમા
કાવ્યા તો આ વાત સાંભળીને એકદમ એક્સાઈટેડ થઈ જશે અને તેને ટોણા મારવા લાગશે. જ્યારે વનરાજ પાખીને ફટકાર લગાવશે અને ટીવી બંધ કરવાનું કહેશે. આ બધુ જોઈને સાંભળ્યા બાદ બા પણ નારાજ થશે અને બાપુજી ખામોશ ઊભા રહેશે. અનુપમા આ વાતથી થોડી પરેશાન થશે પરંતુ ત્યારબાદ બધા જન્માષ્ટમીની ઉજવણીમાં લાગી જશે. નંદિની અને અનુપમા સમરની રાહ જોશે. અનુપમા સમરને ઘરે આવવા માટે ફોન કરશે પણ સમર ના પાડી દેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube