નવી દિલ્હીઃ ટીવીના મોસ્ટ પોપ્યુલર શો અનુપમા (Anupamaa) માં એક બાદ એક ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. ફેન્સ એક તરફ કાવ્યા  (Kavya) વનરાજ (Vanraj) ના લગ્નથી ચોંકી ગયા છે, તો બીજી તરફ અનુપમાની ખરાબ થતી તબીયત ક્યો નવો વળાંક આપશે તે જાણવા માટે ફેન્સ આતૂર છે. હવે દરેક દર્શકોના મનમાં એક વાત ચાલી રહી છે કે કાવ્યાને તેનો 'વી' તો મળી ગયો હવે આગળ શું થશે? તેમાં કોઈ શંકા નથી કે દર્શકોનો ઇન્ટરેસ્ટ આ સીરિયલ પ્રત્યે ખુબ વધી રહ્યો છે. 


તાજા એપિસોડમાં દેખાડવામાં આવી રહ્યું છે કે અનુપમાની સર્જરી બાદ સ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારબાદ વનરાજ પરેશાન થઈ જાય છે અને તે પોતાના દિલમાં છુપાયેલી વાત કબુલ કરે છે. આ દરમિયાન વનરાજ સમરને કહે છે કે તેનો અનુપમા સાથે સંબંધ તારી પહેલાનો છે. અનુપમા ભલે હવે પત્ની નથી રહી, પરંતુ તે હજુ મારા બાળકોની માં છે. ત્યારબાદ ડોક્ટર અદ્વૈત અનુપમાનું ખાસ ધ્યાન અને કોઈ પ્રકારની ચિંતા ન કરવા દેવાનું કહે છે. આઈસીયૂમાં જીવન મરણ વચ્ચે જંગ લડી રહેલા અનુપમાની હાલતથી અજાણ ઘરવાળા અનુપમાના પરત ફરવાની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube